TMKOCના ચાહકો માટે ખુશખબર, દયાબેનના પાત્રને લઈ અસિત મોદીએ કર્યો મોટો ખુલાસો

31 July, 2023 11:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આખરે `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`(Taarak Mehta Ka Ooltah Chashmah) દયાબેન (Dayaben)ના પાત્રને લઈને અસિત મોદીએ મોટો ખુલાસો કર્યો છે. જાણો દિશા વાકાણી વિશે શું કહ્યુ?

દિશા વાકાણી

નાના પડદાનું લોકપ્રિય સિરિયલ `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`(Taarak Mehta Ka Ooltah Chashmah)તેની વાર્તા અને વિવાદોને કારણે હેડલાઇન્સમાં રહે છે. હાલમાં આ શો અભિનેત્રી જેનિફર મિસ્ત્રી (Jennifer mistry)ના કારણે લાઈમ લાઈટમાં છે. જેનિફરે શોના નિર્માતા અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો... પરંતુ હાલમાં અમે તમને તેના વિશે નહીં પરંતુ શોની જાન દયા બેન (Dayaben)વિશે અપડેટ આપવાના છીએ.  ઘણા સમયથી કહેવામાં આવી રહ્યું હતું કે દિશા વાકાણી (Disha vakani)સાથે વાતચીત ચાલી રહી છે પરંતુ વાત આગળ વધી રહી નથી, પરંતુ આ વખતે એક સારા સમાચાર આવ્યા છે.

અગાઉ દયા બેન એટલે કે દિશા વાકાણી (Disha vakani aka dayaben)ની વાપસીને લઈને વિવિધ પ્રકારની વાતો કરવામાં આવી રહી હતી. ક્યારેક પૈસાની વાત થતી હતી તો ક્યારેક કહેવામાં આવી રહ્યું હતું કે મેકર્સ તેની અજીબોગરીબ શરતોને કારણે તેને પરત નથી લઈ રહ્યા. જો કે હવે એવા સમાચાર છે કે દિશા વાકાણી શોમાં કમબેક કરવા જઈ રહી છે. શોના નિર્માતા અસિત મોદી(Asit modi)એ પોતે પુષ્ટિ કરી છે કે દિશા પુનરાગમન કરી રહી છે. 

અસિત મોદીએ કહ્યું કે 15 વર્ષની આ સફર માટે બધાને અભિનંદન. તે એક એવી કલાકાર છે જેને આપણે ભૂલી શકતા નથી. તે કલાકાર છે દયા ભાભી (Dayaben) ઉર્ફે દિશા વાકાણી. આ સાથે તેણે ચાહકોનું મનોરંજન કર્યું અને અમને હસાવ્યા. ચાહકો તેના વાપસીની રાહ જોઈ રહ્યા છે અને હું તમને વચન આપું છું કે દિશા વાકાણી ટૂંક સમયમાં તારક મહેતામાં પાછી આવશે. નિર્માતાના શબ્દો પરથી લાગે છે કે તેણે દિશા સાથે ડીલ કરી લીધી છે.

ઉલ્લેખનીય છે કે દિશા વાકાણીએ વર્ષ 2017માં શોમાંથી બ્રેક લીધો હતો. આ વિરામનું કારણ તેણીની ગર્ભાવસ્થા હતી... દિશાએ કામમાંથી બ્રેક લીધો અને ગર્ભાવસ્થાના સમયગાળાનો આનંદ માણ્યો અને બાળકીના જન્મ પછી તેની સંભાળ રાખવામાં વ્યસ્ત થઈ ગઈ. ઘણી વખત એવા અહેવાલો આવ્યા હતા કે દિશા પુનરાગમન કરી રહી છે પરંતુ તે માત્ર અફવા સાબિત થઈ હતી. વચ્ચે સમાચાર આવ્યા હતા કે નવી દયા બેનની શોધ થઈ રહી છે..જોકે હવે વર્ષો પછી દિશા વાકાણીના વાપસીના સમાચારે ચાહકોને આશા આપી છે. જો તેણી ખરેખર પુનરાગમન કરે છે, તો તે શોમાં નવી જાન આવી જશે. 

taarak mehta ka ooltah chashmah television news entertainment news asit kumar modi disha vakani