એકતા કપૂરના આગામી શોમાં દેખાશે શિવાંગી અને કુશાલ?

19 April, 2023 04:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ નવો શો લવ સ્ટોરી પર આધારિત રહેવાનો છે

શિવાંગી જોશી

એકતા કપૂરના આગામી શોમાં શિવાંગી જોશી અને કુશાલ ટંડન જોવા મળે એવી શક્યતા છે. આ નવો શો લવ સ્ટોરી પર આધારિત રહેવાનો છે. દસ દિવસ બાદ એનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. શિવાંગીએ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’, ‘બાલિકા વધૂ 2’ અને ‘ખતરોં કે ​ખિલાડી 12’માં પણ જોવા મળી હતી. તે ઘણા સમયથી લોકોનાં દિલો પર રાજ કરી રહી છે. ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં તેણે સતત છ વર્ષ સુધી કામ કર્યું હતું. તો કુશાલ ‘એક હઝારોં મેં મેરી બહના હૈ’, ‘નચ બલિયે 5’ અને ‘બેહદ’માં જોવા મળ્યો હતો. આ અનટાઇટલ્ડ શો દ્વારા તે લગભગ છ વર્ષ બાદ ટેલિવિઝન પર પાછો આવવાનો છે. આ શોમાં તેના પાત્રમાં અનેક શેડ્સ જોવા મળવાના છે. પ્રોડક્શન હાઉસ અન્ય કલાકારોની શોધ કરી રહ્યું છે. ટૂંક સમયમાં જ આ નવા શોની જાહેરાત કરવામાં આવશે.

entertainment news television news indian television ekta kapoor