પાલીના ગણપતિબાપ્પાનાં દર્શને પહોંચ્યાં દીપિકા ચિખલિયા

22 August, 2024 08:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘રામાયણ’માં સીતાના રોલમાં જોવા મળેલાં દીપિકા ચિખલિયા પણ અષ્ટવિનાયકના એક મંદિરે પહોંચ્યાં હતાં

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

મહારાષ્ટ્રમાં ગણપતિબાપ્પાની અષ્ટવિનાયકની યાત્રા ખૂબ ફેમસ છે. વિવિધ સ્થળોએ આવેલા બાપ્પાના મંદિરે જઈને લોકો તેમના આશીર્વાદ લે છે. ‘રામાયણ’માં સીતાના રોલમાં જોવા મળેલાં દીપિકા ચિખલિયા પણ અષ્ટવિનાયકના એક મંદિરે પહોંચ્યાં હતાં. તેમણે રાયગડ જિલ્લાના પાલી ગામમાં આવેલા બલ્લાલેશ્વર પાલીના મંદિરની મુલાકાત લીધી હતી. એનો વિડિયો તેમણે શૅર કર્યો છે. એમાં તેઓ કહી રહ્યાં છે, ‘મહારાષ્ટ્રમાં અષ્ટવિનાયકનું આ ​મંદિર પાલીમાં આવેલું છે. એથી ફોટો લેવો તો જરૂરી છે.’

એ ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દીપિકા ચિખલિયાએ કૅપ્શન આપી, ‘મારા ક્રેઝી શેડ્યુલમાંથી સમય કાઢીને એક દિવસની ટ્રિપ પર મારા બેસ્ટ બડીઝ સાથે અહીં પહોંચી છું.’

ramayan maharashtra news entertainment news television news indian television