ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો બંધ થવા વિશે ચંદન પ્રભાકરે કહ્યું...

11 May, 2024 07:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લોકોને એન્ટરટેઇનમેન્ટ ન મળતું હોય એવા શોનો મતલબ શું?

ચંદન પ્રભાકર

કપિલ શર્મા સાથે અગાઉ કામ કરી ચૂકેલા ચંદન પ્રભાકર માટે લોકોને એન્ટરટેઇનમેન્ટ પૂરું પાડવું મહત્ત્વનું છે. કપિલ સાથે ઘણું કામ કરનાર ચંદન નેટફ્લિક્સ પર આવેલા ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં જોવા નહોતો મળ્યો. આ શોની પહેલી સીઝનમાં ૬ એપિસોડ આવી ગયા છે અને હવે ‘હીરામંડી : ધ ડાયમન્ડ બાઝાર’નો એપિસોડ સ્ટ્રીમ થશે. એક તરફ એવી ચર્ચા હતી કે શોને રેટિંગ્સ ન મળી રહ્યા હોવાથી એ બંધ કરવામાં આવ્યો છે અને એક તરફ એવી ચર્ચા છે કે એની બીજી સીઝન આવી રહી છે. આ વિશે વાત કરતાં ચંદન કહે છે, ‘લોકોને માટે જ શો બનાવવામાં આવી રહ્યો છે. લોકોને જે એન્ટરટેઇનમેન્ટ જોઈતું હોય એ ન મળી રહ્યું હોય તો પછી શો બનાવવાનો મતલબ શું? કપિલ અને તેની ટીમે દર્શકોના ફીડબૅકને ધ્યાનમાં રાખીને તેમના કૉમિક અપ્રોચમાં બદલાવ કરવો જોઈએ.’

The Great Indian Kapil Show kapil sharma television news indian television