પ્રિયંકા ખૂબ જ સારી વ્યક્તિ છે : નિમ્રત કૌર અહલુવાલિયા

08 February, 2023 03:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રિયંકા સાથેની જર્ની વિશે વાત કરતાં નિમ્રતે કહ્યું કે ‘એ વ્યક્તિ અને હું, અમારા બન્નેમાં કંઈ ખરાબી નથી

પ્રિયંકા ખૂબ જ સારી વ્યક્તિ છે : નિમ્રત કૌર અહલુવાલિયા

‘બિગ બૉસ 16’માં અચાનક લાઇવ વોટિંગમાં ઓછા વોટ મળતાં ન્રિમત કૌર અહલુવાલિયાને ઇવિક્ટ કરવામાં આવી છે. આ ​ઇવિક્શન બાદ નિમ્રતે કહ્યું કે પ્રિયંકા ખૂબ જ સારી વ્યક્તિ છે, પરંતુ શોમાં પહેલેથી લઈને છેલ્લે સુધી તે તેની સાથે દુશ્મની રાખતી જોવા મળી હતી. પ્રિયંકા સાથેની જર્ની વિશે વાત કરતાં નિમ્રતે કહ્યું કે ‘એ વ્યક્તિ અને હું, અમારા બન્નેમાં કંઈ ખરાબી નથી. અમે બન્ને એકદમ અલગ વ્યક્તિ છીએ અને અમારી વિચારશક્તિ અલગ છે. ૧૬ જણ વચ્ચે એવી શક્યતા હોય છે કે મારું કોઈ સાથે સારું નહીં બને. તેને મારી સાથે નહોતું ફાવતું અને મને તેની સાથે નહોતું ફાવતું. તે જે રીતે વિચારતી અને કરતી એ રીતે હું પોતે નથી કરી શકતી. કેટલીક વસ્તુ મને ખૂબ જ વિચિત્ર લાગતી હતી અને મને લાગતું કે આ રિયલિટી શો છે, ​ડેઇલી સોપ નથી. તે સારી છોકરી છે અને હું તેને શુભેચ્છા પાઠવું છું. તમને નહીં ખબર હોય કે તમે એકબીજા સાથે ફરી કામ પણ કરી શકો છો. આ ખૂબ જ નાની ઇન્ડસ્ટ્રી છે. મને નથી લાગતું કે મારે આ શોનો ભાર લઈને લાઇફમાં આગળ વધવું જોઈએ. આ બસ, એવી બે વ્યક્તિઓ હતી જેને એકબીજા સાથે નહોતું ફાવતું અને એ કંઈ મોટી વાત નથી.’

entertainment news television news indian television Bigg Boss nimrat kaur