દયાબેનની તો નહીં પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આ મહિલા અભિનેત્રીની થશે એન્ટ્રી

06 December, 2023 08:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

`તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` છેલ્લા ઘણા દિવસોથી વિવાદોમાં ઘેરાયેલી છે. એવામાં આ શૉમાં એક મહિલા અભિનેત્રીની એન્ટ્રી થઈ રહી છે. જોકે આ મહિલા દયાબેન નથી. તો કોણ છે..? જાણો

જેનિફર મિસ્ત્રી અને મોનાઝ મેવાવાલા

TMKOC: લોકપ્રિય કૉમેડી શૉ `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. દર્શકોને શોના દરેક પાત્ર અને તેની વાર્તા ખૂબ જ પસંદ આવે છે. આ જ કારણ છે કે આટલા વર્ષો પછી પણ લોકોમાં આ શોનો ક્રેઝ હજુ પણ છે. આ સિરિયલના તમામ કલાકારોને દર્શકો તેમના વાસ્તવિક નામોથી નહીં પરંતુ તેમના પાત્રોના નામથી ઓળખે છે. શોના આ પાત્રોમાંથી એક, મિસિસ સોઢી ઉર્ફે જેનિફર મિસ્ત્રી છેલ્લા 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી હતી. જોકે, તાજેતરમાં જ જેનિફરે નિર્માતા અસિત મોદી પર યૌન શોષણના ગંભીર આરોપ લગાવતા `તારક મહેતા` છોડી દીધી હતી. શોમાંથી તેણીની વિદાય પછી દરેક નિરાશ હતા,પણ હવે નવા મિસિસ રોશનની એન્ટ્રી `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`માં થઈ રહી છે. 

`તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` છેલ્લા ઘણા દિવસોથી વિવાદોમાં ઘેરાયેલી છે. શોમાંથી જૂના તારક મહેતા એટલે કે શૈલેષ લોઢાની અચાનક વિદાય હોય કે પછી જેનિફર મિસ્ત્રી બંસીવાલના અસિત મોદી પર લાગેલા આરોપો હોય. આ તમામ કારણોસર શો ખોટા કારણોસર સમાચારોમાં રહે છે. `તારક મહેતા`માંથી જેનિફરની વિદાય થઈ ત્યારથી ચાહકો મિસિસ સોઢીના પાત્રને જોવા માટે ઉત્સુક હતા.આખરે શોના નિર્માતાઓએ દર્શકોને જાહેરાત કરી છે કે અભિનેત્રી મોનાઝ મેવાવાલા `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`માં જેનિફર મિસ્ત્રીની જગ્યા લેશે.

અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` છોડ્યાના લગભગ સાત મહિના પછી મોનાઝ મેવાવાલા મિસિસ રોશન સિંહ સોઢી તરીકે શોમાં પ્રવેશવા માટે તૈયાર છે. શોમાં મોનાઝનું સ્વાગત કરતાં આસિત મોદીએ કહ્યું, `મોનાઝ મેવાવાલા સાથે મળીને અમે ખૂબ જ ખુશ છીએ. તેની પ્રતિભા અને અભિનય પ્રત્યેનો જુસ્સો નિઃશંકપણે પાત્ર અને શોમાં એક નવું પરિમાણ ઉમેરશે. અમે તેમને TMKOC પરિવારમાં હૃદયપૂર્વક આવકારીએ છીએ.` તમને જણાવી દઈએ કે, એપ્રિલ 2023માં શો છોડ્યા બાદ જેનિફરે નિર્માતા અસિત કુમાર મોદી પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો.

છેલ્લા 15 વર્ષથી પ્રેક્ષકોનું મનોરંજન કરી રહેલા પ્રખ્યાત સિટકોમ `તારક મહેતા કા ઉલ્ટા`નો ભાગ બનવા પર મોનાઝે કહ્યું, `ટીએમકેઓસી પરિવારનો ભાગ બનવા માટે હું રોમાંચિત અને ગર્વ અનુભવું છું. મને ભૂમિકા ગમે છે અને આ તક માટે આસિત મોદીની આભારી છું. હું આ પાત્ર ભજવવામાં મારી બધી શક્તિ અને મન લગાવીશ. અસિત મોદી સાથે અગાઉ કામ કર્યા પછી, મને છેલ્લા 15 વર્ષોમાં TMKOC પરિવારના દરેક સભ્ય પ્રત્યેનો તેમનો જુસ્સો અને સમર્પણ ગમે છે. મને ખાતરી છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના તમામ ચાહકો મને તેમનો પ્રેમ અને સમર્થન આપશે.`

મોનાઝ મેવાવાલાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રીએ `મીટ મિલા દે રબ્બા`, `ઝિલમિલ સ્ટારોં કા આંગન હોગા`, `રિશ્તોં કી દૂર` જેવી સિરિયલોમાં કામ કર્યું છે. જેનિફર અને અસિત મોદી વચ્ચેના વિવાદની વાત કરતા અભિનેત્રીએ શો છોડ્યા બાદ નિર્માતા પર ચોંકાવનારા આરોપો લગાવ્યા હતા. આ વર્ષે મે મહિનામાં જેનિફરે અસિત પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.જોકે, અસિત મોદીએ તમામ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા હતા.

taarak mehta ka ooltah chashmah asit kumar modi television news entertainment news indian television