‘કાવ્યા’એ પણ અલવિદા કહી દીધું અનુપમાને

17 September, 2024 11:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુધાંશુ પાંડેની `અનુપમા`માંથી બહાર નીકળ્યા બાદ, મદાલસા શર્મા, વનરાજની બીજી પત્ની કાવ્યા પણ છોડી રહી છે. તેણીએ તેના પાત્રના મૃત્યુને કારણ તરીકે દર્શાવ્યું હતું.

મદાલસા શર્મા (અનુપમામાં કાવ્યા)

સુપરહિટ સિરિયલ ‘અનુપમા’માં વનરાજનું પાત્ર ભજવતા સુધાંશુ પાન્ડેની એક્ઝિટ થઈ એ પછી હવે એવા સમાચાર આવ્યા છે કે વનરાજની બીજી પત્ની કાવ્યાનું પાત્ર ભજવતી મદાલસા શર્માએ પણ આ સિરિયલ છોડી દીધી છે. મદાલસાનું જોકે કહેવું છે કે તેણે સુધાંશુની પહેલાં જ આ સિરિયલ છોડવાનો નિર્ણય લીધો હતો, કારણ કે આ શોમાં તેના પાત્રમાં હવે કંઈ દમ નથી રહ્યો. મદાલસા બૉલીવુડના બંગાળી સુપરસ્ટાર મિથુન ચક્રવર્તીના દીકરા મિમોહની પત્ની છે. 

television news entertainment news indian television mithun chakraborty star plus hotstar