વિદ્યા બાલનની ‘નીયત’ થશે ૭ જુલાઈએ રિલીઝ

09 May, 2023 03:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મને અબુન્દન્તિયા એન્ટરટેઇનમેન્ટે પ્રોડ્યુસ કરી છે

વિદ્યા બાલનની ‘નીયત’ થશે ૭ જુલાઈએ રિલીઝ

વિદ્યા બાલનની મર્ડર-મિસ્ટરી ‘નીયત’ સાત જુલાઈએ રિલીઝ થવાની છે. એ ફિલ્મને અનુ મેનને ડિરેક્ટ કરી છે. ફિલ્મને અબુન્દન્તિયા એન્ટરટેઇનમેન્ટે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં વિદ્યાની સાથે રામ કપૂર, રાહુલ બોઝ, નીરજ કાબી, શહાના ગોસ્વામી, અમ્રિતા પુરી, નિકી વાલિયા, શશાંક અરોરા, પ્રાજક્તા કોલી અને દાનિશ રિઝવી પણ દેખાશે. આ ફિલ્મમાં વિદ્યા બાલન મર્ડર- મિસ્ટરીને ઉકેલતી દેખાડવામાં આવશે. પાર્ટીમાં થયેલા મર્ડરની ઘટના વિશે સૌકોઈ કાંઈ ને કાંઈ છુપાવે છે. આ ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિદ્યા બાલને કૅપ્શન આપી હતી, ‘ઉદ્દેશ પરથી પરદો ઉઠાવવામાં આવશે. સીક્રેટ્સ સૌને ચોંકાવી દેશે. ૨૦૨૩ની ૭ જુલાઈએ ‘નીયત’ થિયેટરમાં રિલીઝ થવાની છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood vidya balan