કરવા ચૌથનો ચાંદ ક્યારે નીકળશે? આ સવાલ ગૂગલને પૂછ્યો હતો કૅટરિનાએ

11 July, 2024 10:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૅટરિનાએ પહેલી વખત કરવા ચૌથનું વ્રત રાખ્યું ત્યારે તે ખૂબ અધીરી થઈ ગઈ હતી

કૅટરિના કૈફ

વિકી કૌશલ અને કૅટરિના કૈફનાં ૨૦૨૧માં લગ્ન થયાં હતાં. ત્યાર બાદ જ્યારે કૅટરિનાએ પહેલી વખત કરવા ચૌથનું વ્રત રાખ્યું ત્યારે તે ખૂબ અધીરી થઈ ગઈ હતી. એથી તેણે ગૂગલને સવાલ પૂછ્યો હતો કે ચાંદ ક્યારે નીકળશે? વિકીએ પણ તેની સાથે વ્રત રાખ્યું હતું. જોકે તેનું કહેવું છે કે તે સખત ડાયટનું પાલન કરતો હોવાથી તેને આ વ્રત રાખવામાં કોઈ વાંધો નહોતો આવ્યો. એ વિશે વિકી કહે છે, ‘મને ઉપવાસ રાખવામાં કોઈ તકલીફ નથી થતી. એક ઍક્ટર તરીકે અમે સખત ડાયટનું પાલન કરીએ છીએ. એથી એ બધું વ્રત રાખતી વખતે કામમાં આવે છે. જોકે કૅટરિના તો ગૂગલ ક્વીન છે. તેણે ગૂગલને પૂછ્યું કે ચાંદ ક્યારે નીકળશે? ગૂગલે કહ્યું કે રાતે સાડાઆઠ વાગ્યે. મેં તેને જણાવ્યું કે ચાંદ ગૂગલની વાત નહીં સાંભળે. તેનો જે સમય હશે એ વખતે જ એ નીકળશે. વાદળના હલનચલન વિશે ગૂગલ આગાહી ન કરી શકે. એ દિવસે ચાંદ નીકળવામાં મોડું થયું અને તે ઉતાવળી થઈ ગઈ હતી કે ચાંદ દેખાયો નથી. ગૂગલે સાડાઆઠનો સમય આપ્યો હતો ત્યાં સુધી તે એકદમ વ્યવસ્થિત હતી, ત્યાર બાદ તે કહેવા લાગી કે હવે ભૂખ લાગી છે.’

google entertainment news bollywood bollywood news