સુશાંત સાથે શું થયું હતું એ જાણવા માટે ફરી એક વખત વિનંતી કરી તેની બહેને

15 June, 2024 09:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુશાંત સિંહ રાજપૂતના અવસાનને ચાર વર્ષ પસાર થવા છતાં કેસ છે વણઊકલ્યો

સુશાંત સિંહ રાજપૂત બહેન સાથે

સુશાંત સિંહ રાજપૂતના અવસાનને ચાર વર્ષ વીતી ગયાં છે અને હજી સુધી એ કેસ ઉકેલાયો નથી. ૨૦૨૦ની ૧૪ જૂને સુશાંતે બાંદરાના તેના ઘરે કથિતરૂપે સુસાઇડ કર્યું હતું. જોકે તેની ચાર બહેનો અને તેના પિતા અને તેના ફૅન્સ સુશાંત સાથે એ દિવસે શું થયું હતું એ જાણવા માગે છે. ગઈ કાલે સુશાંતની ડેથ-ઍનિવર્સરી નિમિત્તે તેના પરિવારે પૂજા અને પ્રાર્થનાનું આયોજન કર્યું હતું. સાથે જ સુશાંતના નામે અન્નદાન પણ કર્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર શ્વેતા સિંહ કીર્તિએ લખ્યું કે ‘ભાઈ, તું અમને છોડીને ગયો એને ચાર વર્ષ પસાર થઈ ગયાં છે. આમ છતાં આજ દિન સુધી અમને જાણ નથી થઈ કે ૨૦૨૦ની ૧૪ જૂને શું થયું હતું. તારું અવસાન હજી પણ રહસ્ય બનેલું છે. સત્ય જાણવા માટે મેં ઑથોરિટીને અનેક વખત વિનંતી કરી છે. મારી ધીરજ હવે ખૂટી રહી છે. આજે હવે છેલ્લી વખત હું દરેકને પૂછવા માગું છું કે તમે તમારા દિલ પર હાથ રાખીને પૂછો કે શું અમને એ જાણવાનો અધિકાર નથી કે સુશાંત સાથે શું થયું હતું? અમારી મદદ કરો.’

sushant singh rajput entertainment news bollywood bollywood news