સ્ટેન્ડ અપ કૉમેડિયન કુણાલ કામરાએ ઉડાવી સલમાન ખાનની મજાક, હવેભાઈજાન લેશે એક્શન?

31 March, 2024 07:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) અવારનવાર સમાચારોમાં રહે છે. ક્યારેક તેની ફિલ્મોના કારણે તો ક્યારેક કોઈની કમેન્ટ્સને કારણે

કુણાલ કામરા અને સલમાન ખાનની ફાઇલ તસવીર

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) અવારનવાર સમાચારોમાં રહે છે. ક્યારેક તેની ફિલ્મોના કારણે તો ક્યારેક કોઈની કમેન્ટ્સને કારણે. આ વખતે સ્ટેન્ડ અપ કૉમેડિયન કુણાલ કામરા (Kunal Kamra)એ તેમની મજાક ઉડાવીને તેના પર હુમલો કર્યો છે, જ્યારે કેઆરકેએ કુણાલનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો, ત્યારે તેણે વધુ અભિમાનથી કહ્યું કે તે હવે જોક્સ માટે માફી માગતો નથી.

આ વીડિયોમાં કુણાલ કામરા (Kunal Kamra) રિયાલિટી શૉ `બિગ બોસ ઓટીટી`માં ઑફર મળવાની વાત કરી રહ્યો છે. તે કહે છે કે, “મને અંબાણીના OTT પર જવાની અને સલમાન ખાન પાસેથી નૈતિક પાઠ લેવાની ઑફર મળી છે. દર શનિવારે સલમાન ખાન આવશે અને તમને જણાવશે કે કેવી રીતે એક સારા વ્યક્તિ બનવું. આ પછી તેણે રિયાલિટી શૉની સલમાન ખાનની લાઈન્સ કૉપી કરી અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો.

કુણાલે અરબાઝ અને સોહેલની પણ મજાક ઉડાવી

કુણાલ (Kunal Kamra) અહીં જ અટક્યો ન હતો. તેણે આગળ કહ્યું કે સલમાનનું જીવન કેટલું મુશ્કેલ રહ્યું હશે અને તે દરેક મોહરમમાં અરબાઝ ખાન અને સોહેલ ખાનને કેવી રીતે ચાબુક મારશે. કુણાલે કહ્યું કે, “એક સમય હતો જ્યારે કૉમેડિયન સલમાનથી ડરતા હતા. પછી જ્યારે મોદીજી આવ્યા ત્યારે તેમણે સલમાન ખાનને જોયો... તો પછી આપણે તેમનાથી શા માટે ડરવું જોઈએ? રાત્રે દારૂ પીધા પછી ફોન કરે તો ઠીક, 2-3 પીધા પછી તેને ઉપાડી પણ લઈશું.”

`અમે સલમાનની મજાક ન કરી શકીએ`

તે આગળ કહે છે કે, “બધા કહે છે કે આપણે સલમાન ખાનની મજાક ન કરવી જોઈએ. તે સ્ત્રીઓને થપ્પડ મારતો રહે છે, પણ આપણે તેની મજાક ન ઉડાવી શકીએ?”

કેઆરકેએ શેર કર્યો વીડિયો

જ્યારે કેઆરકેએ તેના ટ્વિટર એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો, ત્યારે કુણાલે ત્યાં પણ જવાબ આપ્યો અને લખ્યું કે, “હું ઊડતું પક્ષી કે ફૂટપાથ નથી અને હું હવે જોક્સ માટે માફી માગતો નથી...”

સલમાનની દખલગીરી બાદ ફિલ્મ પડતી મૂકી કરણ જોહરે?

સલમાન ખાન અને કરણ જોહર વર્ષો બાદ ‘ધ બુલ’માં સાથે કામ કરવાના હતા, પરંતુ આ ફિલ્મ પડતી મૂકવામાં આવી હોવાની ચર્ચા છે. સલમાન સતત ફિલ્મને લઈને દખલગીરી કરી રહ્યો હોવાથી કરણે ફિલ્મ પડતી મૂકી છે. ૧૯૮૮ની ૩ નવેમ્બરે મૉલદીવ્ઝમાં આંતકવાદી હુમલો થયો હતો એ દરમ્યાન ભારતે એને મદદ કરી હતી. આ મિશન પરથી ફિલ્મ બનાવવામાં આવી રહી હતી જેમાં સલમાન બ્રિગેડિયર ફારુક બલસારાનું પાત્ર ભજવવાનો હતો. આ સબ્જેક્ટ જ્યારે સલમાનને સંભળાવવામાં આવ્યો હતો ત્યારે તેણે તરત જ કરણને હા પાડી હતી. મૉલદીવ્ઝ અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ આવતાં ફિલ્મનું શૂટિંગ અટકી ગયું હતું. જોકે ફિલ્મની પ્રોસેસના પહેલા દિવસથી તેમની વચ્ચે પ્રૉબ્લેમ શરૂ થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. સલમાન ફિલ્મના પાત્રમાં ખૂબ રસ લઈ રહ્યો હતો અને તે સતત ડિરેક્ટર અને કરણ જોહર તેમ જ ફિલ્મ સાથે સંકળાયેલી દરેક વ્યક્તિને ફોન કરીને રિપોર્ટ માગતો હોવાની ચર્ચા છે. આ વાત વધુ આગળ વધે અને ઈગો ક્લૅશ થાય એ પહેલાં ફિલ્મને પડતી મૂકવામાં આવી હોવાની ચર્ચા છે. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે સલમાને કરણ પાસે ફિલ્મ માટે ખૂબ મોટી રકમની ડિમાન્ડ કરી છે. આ ડિમાન્ડ તેને વધુ પડતી લાગી રહી હોવાથી પણ તેણે એ ફિલ્મ પડતી મૂકવાનો નિર્ણય લીધો હોય એવી શક્યતા છે.

Salman Khan salman khan controversies krk bollywood bollywood buzz bollywood news entertainment news