શ્રદ્ધા કપૂર અને શર્વરી વાઘ પહોંચી સાંઈબાબાનાં ચરણોમાં

06 October, 2024 11:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રદ્ધા કપૂરે શુક્રવારે શિર્ડી જઈને સાંઈબાબાના મંદિરમાં શીશ ઝુકાવ્યું હતું

શ્રદ્ધા કપૂર અને શર્વરી વાઘ સાંઈબાબાનાં ચરણોમાં

શ્રદ્ધા કપૂરે શુક્રવારે શિર્ડી જઈને સાંઈબાબાના મંદિરમાં શીશ ઝુકાવ્યું હતું. ‘સ્ત્રી 2’ બ્લૉકબસ્ટર સાબિત થઈ છે અને થિયેટરોમાં એના પચાસ દિવસ પૂરા થયા છે એ નિમિત્તે સાંઈબાબાનો આભાર માનવા અને તેમના આશીર્વાદ મેળવવા શ્રદ્ધા ત્યાં પહોંચી હતી. શ્રદ્ધાની આ મુલાકાત પછી ગઈ કાલે શર્વરી વાઘ પણ સાંઈબાબાનાં ચરણોમાં પહોંચી હતી. શર્વરીની આ વર્ષે આવેલી હૉરર કૉમેડી ફિલ્મ ‘મુંજ્યા’ સુપરહિટ સાબિત થઈ છે તથા આ જ વર્ષે તે ‘મહારાજ’ અને ‘વેદા’માં પણ ચમકી છે. શર્વરી હવે આલિયા ભટ્ટ સાથેની યશરાજ ફિલ્મ્સની સ્પાય થ્રિલર ફિલ્મ ‘આલ્ફા’માં દેખાવાની છે.

shraddha kapoor nashik entertainment news bollywood bollywood news