શાહરુખ અને ગૌરી પ્રતિ સહાનુભૂતિ દેખાડી શેખર સુમને

11 October, 2021 02:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શેખર સુમને જણાવ્યું હતું કે માતા-પિતા માટે અગ્નિ પરિક્ષામાંથી પસાર થવુ ખૂબ અઘરૂ હોય છે

શેખર સુમન

આર્યન ખાનની ધરપકડને લઈને શાહરુખ ખાન અને ગૌરી ખાન પ્રતિ સહાનુભુતિ દેખાડતાં શેખર સુમને જણાવ્યું હતું કે માતા-પિતા માટે અગ્નિ પરિક્ષામાંથી પસાર થવુ ખૂબ અઘરૂ હોય છે. આર્યનનાં સપોર્ટમાં બૉલીવુડની કેટલીક સેલિબ્રિટીઝ આગળ આવી છે. તેમનાં મુજબ એક યુવકનાં ભવિષ્ય અને જીવન સાથે ખિલવાડ થઈ રહ્યો છે. ટ્વિટર પર શેખર સુમને ટ્વીટ કર્યું હતું કે ‘શાહરુખ ખાન અને ગૌરી ખાન માટે મારુ હૃદય દ્રવી ઉઠે છે. એક પેરન્ટ તરીકે હું સમજી શકુ છું કે તેમનાં પર શું વિતાતી હશે. આવા પ્રકારનાં કષ્ટ અને અગ્નિ પરિક્ષામાંથી પસાર થવુ પેરન્ટ્સ માટે એટલુ સહેલુ નથી હોતું.’

entertainment news bollywood bollywood news bollywood gossips aryan khan Shah Rukh Khan shekhar suman gauri khan