સલમાન ખાનનું ફિરોઝા બ્રેસલેટ ફરી પાછું ચર્ચામાં

19 October, 2024 11:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ બ્રેસલેટને કારણે મારી તરફ આવતી નેગેટિવ શક્તિઓ અટકી જાય છે.

સલમાન ખાન

બાબા સિદ્દીકીની હત્યા અને સલમાન ખાનને લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ તરફથી મળી રહેલી ધમકીઓને પગલે હવે ફરી એક વખત સલમાન ખાનનું ફિરોઝા બ્રેસલેટ ચર્ચામાં આવ્યું છે. કહેવાય છે કે સલમાન તેનું આ લકી બ્રેસલેટ ક્યારેય કાઢતો નથી. સલમાને આ બાબતે એક ઇવેન્ટમાં કહ્યું હતું કે ‘મારા પિતા સલીમ ખાન હંમેશાં આવું બ્રેસલેટ પહેરતા હતા, એ તેમને સારું લાગતું હતું. મેં જ્યારે કામ કરવાનું ચાલુ કર્યું ત્યારે તેઓ મારા માટે પણ સેમ બ્રેસલેટ લઈ આવ્યા હતા. આ બ્રેસલેટને કારણે મારી તરફ આવતી નેગેટિવ શક્તિઓ અટકી જાય છે. આમાં જે નંગ વપરાયો છે એને ફિરોઝા કહેવાય છે. મારી જાણ મુજબ બે જ નંગ લાઇવ હોય છે : એક, અકિક અને બીજો, ફિરોઝા. ફિરોઝાનું એવું છે કે જો એ તમે ધારણ કર્યો હોય તો તમારા તરફ જે નેગેટિવિટી આવતી હોય એની અસર આ નંગ પર થાય છે, એમાં તિરાડો પડી જાય છે અને એ તૂટી જાય છે. આ મારો સાતમો નંગ છે. આ ૫૦ કૅરૅટના ફિરોઝા સ્ટોનનું ચાંદીનું બ્રેસલેટ છે. આ ફિરોઝા નંગ એ ઉન્નતિ, ​આધ્યાત્મિક વિકાસ, ઇમોશનલ વેલ-બીઇંગ, કમ્યુનિકેશન વધારવામાં સહાય કરી લોકપ્રિયતા અને ધનલાભ કરાવે છે.’

Salman Khan bollywood news bollywood gossips bollywood entertainment news