02 October, 2023 04:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવીના ટંડન
રવીના ટંડને તેનાં બાળકોથી પોતાનું ભૂતકાળનું રિલેશન કદી નથી છુપાવ્યું. તેનું માનવું છે કે તેમને ક્યાંયથી પણ વાંચવા મળી જશે. ૯૦ના દાયકામાં જે પ્રેસ હતું તેમને કોઈના પ્રત્યે માન-સન્માન નહોતું. રવીનાએ છાયા અને પૂજા નામની બે દીકરીઓને અડૉપ્ટ કરેલી છે. અનિલ થડાણીની સાથે લગ્ન કર્યા બાદ રવીનાએ રાશા અને રણબીર વર્ધન નામનાં બે બાળકોને જન્મ આપ્યો હતો. બાળકોથી કોઈ બાબત ન છુપાવવા વિશે રવીના ટંડને કહ્યું કે ‘તેમના માટે હું ખુલ્લા પુસ્તક જેવી છું. આજે નહીં તો કાલે તેઓ ક્યાંય ને ક્યાંય એ વિશે વાંચી જ લેશે. તેમને કદાચ ખૂબ ખરાબ વાંચવા મળી શકે છે, કારણ કે ૯૦ના દાયકાનું પ્રેસ ખરાબ હતું. તેમને કોઈના માટે સન્માન, આદર્શ કે નિષ્ઠા નહોતા. જે કૅમ્પ તેમની સાથે હોય, તેમને જે ખુશામત કરે, જે હીરો કે હિરોઇન તેમની ચાપલૂસી કરે તેમના વિશે તેઓ સારું લખતા હતા. સત્ય શું છે એ જાણ્યા વગર તેઓ બકવાસ લખતા હતા.’