‘આદિપુરુષ’ માટે મન્નત માગવા વૈષ્ણોદેવી ગયા ઓમ રાઉત અને ભૂષણ કુમાર

29 March, 2023 05:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મનું ટીઝર લૉન્ચ કરવામાં આવ્યું હતું ત્યારે એની વિઝ્યુઅલ ઇફેક્ટ્સને લઈને ખૂબ જ ટ્રોલ થઈ હતી.

‘આદિપુરુષ’ માટે મન્નત માગવા વૈષ્ણોદેવી ગયા ઓમ રાઉત અને ભૂષણ કુમાર

‘આદિપુરુષ’ માટે મન્નત માગવા માટે ડિરેક્ટર ઓમ રાઉત અને પ્રોડ્યુસર ભૂષણ કુમાર વૈષ્ણોદેવી ગયા છે. આ ફિલ્મમાં પ્રભાસ, સૈફ અલી ખાન અને ક્રિતી સૅનને કામ કર્યું છે. આ ફિલ્મનું ટીઝર લૉન્ચ કરવામાં આવ્યું હતું ત્યારે એની વિઝ્યુઅલ ઇફેક્ટ્સને લઈને ખૂબ જ ટ્રોલ થઈ હતી. આ ફિલ્મની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ પર કામ કરવા માટે એને લંબાવવામાં આવી હતી અને ફિલ્મ હવે ૧૬ જૂને રિલીઝ થઈ રહી છે. વૈષ્ણોદેવી માતામાં ગુલશન કુમારને ખૂબ જ શ્રદ્ધા હતી. આથી આ ફિલ્મ સારી રહે એવી મન્નત માગવા માટે ભૂષણ કુમાર ફિલ્મના ડિરેક્ટર સાથે વૈષ્ણોદેવી ગયા છે. અહીંથી તેઓ ફિલ્મનું પ્રમોશન કરવાનું કૅમ્પેન પણ શરૂ કરી રહ્યા છે.

entertainment news bollywood news bollywood gossips bollywood bhushan kumar kriti sanon prabhas