સાઉથની ‘છત્રપતિ’ની હિન્દી રીમેકને લઈને ઉત્સુક છે નુસરત

18 April, 2023 03:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એ ફિલ્મને એસ. એસ. રાજામૌલીએ બનાવી હતી

નુસરત ભરૂચા અને શ્રીનિવાસ બેલ્લમકોન્ડા

નુસરત ભરૂચા ૨૦૦૫માં આવેલી સાઉથની ‘છત્રપતિ’ની હિન્દી રીમેકમાં જોવા મળવાની છે અને એ ફિલ્મને લઈને તે ઉત્સુક છે. એ ફિલ્મને એસ. એસ. રાજામૌલીએ બનાવી હતી. ઍક્શનથી ભરપૂર આ ફિલ્મમાં નુસરત સાથે શ્રીનિવાસ બેલ્લમકોન્ડા પણ લીડ રોલમાં દેખાશે. શ્રીનિવાસ આ ફિલ્મ દ્વારા હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવાનો છે. સાથે જ ભાગ્યશ્રી અને શરદ કેળકર પણ આ ફિલ્મમાં દેખાશે. ફિલ્મ આ વર્ષે ૧૨ મેએ રિલીઝ થશે. ફિલ્મને વી. વી. વિનાયકે ડિરેક્ટ કરી છે. ફિલ્મ વિશે નુસરતે કહ્યું કે ‘મારા માટે તો ‘છત્રપતિ’ જેવી કોઈ સારી ફિલ્મ ન હોઈ શકે. બ્રિલિયન્ટ ટેક્નિશ્યન્સ અને અદ્ભુત કો-સ્ટાર શ્રીનિવાસ સાથે કામ કરવાની ખૂબ મજા આવી.’

નુસરતની પ્રશંસા કરતાં શ્રીનિવાસે કહ્યું કે ‘તેની સાથે બૉન્ડિંગ શૅર કરવું ખૂબ સરળ હતું. બૉલીવુડની મારી પહેલી ફિલ્મ દરમ્યાન મને કમ્ફર્ટેબલ ફીલ કરાવવાનું શ્રેય તેને જાય છે. ‘છત્રપતિ’ અમારા માટે સ્પેશ્યલ છે. આશા છે કે લોકોને પણ ફિલ્મ પસંદ પડશે. ૧૨ મે માટે હું ઉત્સુક છું.’

entertainment news bollywood news bollywood gossips bollywood nushrat bharucha