રણવીર નહીં, આર. માધવન ભજવશે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનો રોલ

01 August, 2024 11:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણવીર સિંહ આ ફિલ્મમાં કયો રોલ ભજવવાનો છે એ વિશે માહિતી નથી

આર. માધવન

દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલનો રોલ રણવીર સિંહ ભજવશે એવી ચર્ચા હતી. હવે સાંભળવા મળ્યું છે કે ડિરેક્ટર આદિત્ય ધરની આગામી ફિલ્મમાં એ રોલ રણવીર નહીં પરંતુ આર. માધવન ભજવશે. રણવીર સિંહ આ ફિલ્મમાં કયો રોલ ભજવવાનો છે એ વિશે માહિતી નથી. પોતાના આ પાત્રને લઈને તો આર. માધવન પણ એક્સાઇટેડ છે. અજિત ડોભાલની યુવાનીના સમયને આ ફિલ્મમાં દેખાડવામાં આવશે. આ ફિલ્મને લઈને ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી છે. એ ફિલ્મમાં સંજય દત્ત, અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ પણ લીડ રોલમાં દેખાશે. ફિલ્મનું શૂટિંગ પચીસ જુલાઈથી શરૂ કરવામાં આવ્યું છે. આ એક ઍક્શન-થ્રિલર ફિલ્મ રહેશે જેમાં ભારત-પાકિસ્તાનના સંબંધો પર પણ પ્રકાશ પાડવામાં આવશે. અગાઉ આદિત્ય ધરે ૨૦૧૯માં આવેલી ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’માં પણ અજિત ડોભાલની લાઇફને દેખાડી હતી. એ ફિલ્મમાં પરેશ રાવલે ગોવિંદ ભારદ્વાજ નામનું પાત્ર ભજવ્યું હતું, જે અજિત ડોભાલની લાઇફ પર આધારિત હતું. 

r. madhavan ranveer singh upcoming movie entertainment news bollywood bollywood news