અગિયાર કરોડના ખર્ચે બની રહ્યો છે અયોધ્યાનો સેટ

03 April, 2024 06:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણબીર કપૂરની ‘રામાયણ’ માટે આ સેટ બન્યા બાદ શૂટિંગ શરૂ થશે : સની દેઓલ, અરુણ ગોવિલ અને સાઈ પલ્લવી બીજા શેડ્યુલમાં શરૂ કરશે શૂટિંગ

અરુણ ગોવિલ , રણબીર કપૂર

રણબીર કપૂરની ‘રામાયણ’ માટે ૧૧ કરોડ રૂપિયાનો સેટ બનાવવામાં આવશે એવી ચર્ચા છે. આ સેટ અયોધ્યાનો હશે. નીતેશ તિવારી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી આ ફિલ્મ આ વર્ષે શૂટ કરવામાં નહીં આવે એવી ચર્ચા હતી, પણ રામનવમીના દિવસે એની જાહેરાત કરવામાં આવશે એવી શક્યતા છે. રણબીરે તીર-કામઠાંની ટ્રેઇનિંગ શરૂ કરી દીધી હતી. હજી સુધી ગુરુકુલનો સેટ બન્યો છે અને એક વાર સેટ તૈયાર થઈ ગયા બાદ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. આ ફિલ્મના પહેલા શેડ્યુલમાં રણબીર શૂટિંગ શરૂ કરશે. બીજા શેડ્યુલમાં હનુમાનનું પાત્ર ભજવી રહેલો સની દેઓલ શૂટિંગ શરૂ કરશે. ટીવી-સિરિયલ ‘રામાયણ’માં રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલ હાલમાં ઇલેક્શનમાં વ્યસ્ત છે. લોકસભાના ઇલેક્શન બાદ તેઓ આ શૂટિંગ શરૂ કરશે એવી ચર્ચા છે. તેઓ આ ફિલ્મમાં દશરથનું પાત્ર ભજવતા જોવા મળશે. બીજા શેડ્યુલમાં સીતાનું પાત્ર ભજવી રહેલી સાઈ પલ્લવી પણ શૂટિંગ શરૂ કરશે એવી શક્યતા છે.

ranbir kapoor entertainment news bollywood buzz bollywood sunny deol nitesh tiwari