27 March, 2024 06:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવાઝુદ્દીન અને તેની પત્ની આલિયા
નવાઝુદ્દીન પોતાના લગ્નજીવનને વધુ એક ચાન્સ આપી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. નવાઝુદ્દીન અને તેની પત્ની આલિયાએ લગ્નજીવનમાંથી અલગ થવાનું નક્કી કર્યું હતું. આલિયાએ મીડિયામાં નવાઝુદ્દીન વિરુદ્ધ ઘણા આરોપ પણ મૂક્યા હતા. ૨૦૨૩ના માર્ચમાં આલિયાએ કહ્યું હતું કે નવાઝુદ્દીને મને અને અમારાં બાળકો શોરા અને યાનીને ઘરમાંથી કાઢી મૂક્યાં હતાં. બાળકોની કસ્ટડીને લઈને પણ ઘણો વિવાદ થયો હતો અને નવાઝુદ્દીને પત્ની વિરુદ્ધ બદનક્ષીનો દાવો પણ કર્યો હતો. જોકે તેમની ઍનિવર્સરી હોવાથી આલિયાએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો હતો જેમાં સંપૂર્ણ ફૅમિલી જોવા મળી રહ્યું છે. આલિયાએ આ ફોટો શૅર કરીને જણાવ્યું કે અમારાં લગ્નને ૧૪ વર્ષ થયાં છે અને અમે સેલિબ્રેટ કરી રહ્યાં છીએ. આ ફોટોને જોઈને લાગે છે કે નવાઝુદ્દીને લગ્નજીવનને વધુ એક ચાન્સ આપ્યો હશે.