હું અને કાલીન ભૈયા બન્ને ખૂબ જ વિનમ્રતાથી વાત કરીએ છીએ : પંકજ ત્રિપાઠી

20 July, 2024 07:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાલીન ભૈયા પણ ધીરજ રાખીને કામ કરે છે અને તે ખૂબ જ ઇન્ટેલિજન્ટ છે.

પંકજ ત્રિપાઠી

પંકજ ત્રિપાઠીને પોતાનામાં અને તેના પાત્ર કાલીન ભૈયામાં એક સમાનતા લાગે છે અને એ છે બન્ને ખૂબ જ વિનમ્રતાથી વાત કરે છે. તેનું ‘મિર્ઝાપુર’નું કાલીન ભૈયાનું પાત્ર ખૂબ જ ફેમસ છે. કાલીન ભૈયા એક ગૅન્ગસ્ટરમાંથી પૉલિટિશ્યન બન્યો હોય છે. પાત્ર સાથે પોતે રિલેટ થવું જરૂરી છે કે નહીં એ વિશે જવાબ આપતાં પંકજ ત્રિપાઠી કહે છે, ‘પાત્ર સાથે રિલેટ કરવું અને એમાં એક અલગ વાત હોવી પણ ખૂબ જ જરૂરી છે. જો પાત્ર સાથે ફક્ત રિલેટ જ કરી શકો તો એમાં પણ પ્રૉબ્લેમ છે, કારણ કે તમે લાઇફમાં એ વસ્તુ જોઈ જ હોય છે. તો પછી આપણે એને સ્ક્રીન પર શું કામ જોઈએ? દરેક પાત્રમાં એક અલગ વાત હોવી જોઈએ. મારી અને કાલીન ભૈયાના પાત્ર વિશે એક સમાનતા છે કે અમે બન્ને ખૂબ જ વિનમ્રતાથી વાત કરીએ છીએ. હું લાઇફમાં ખૂબ જ ધીરજ રાખીને કામ કરું છું. કાલીન ભૈયા પણ ધીરજ રાખીને કામ કરે છે અને તે ખૂબ જ ઇન્ટેલિજન્ટ છે.’

pankaj tripathi bollywood news bollywood gossips bollywood entertainment news