રિલેશનમાં રિસ્પેક્ટ નથી મળ્યો મલાઇકાને?

09 June, 2024 10:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમણે બ્રેકઅપ વિશે હજી સુધી કોઈ ચોખવટ નથી કરી

ફાઇલ તસવીર

મલાઇકા અરોરા અને અર્જુન કપૂરના બ્રેકઅપની ખૂબ ચર્ચા ચાલી રહી છે. તેમણે બ્રેકઅપ વિશે હજી સુધી કોઈ ચોખવટ નથી કરી. જોકે બન્ને સોશ્યલ મીડિયામાં કટાક્ષથી ભરેલી નોટ શૅર કરે છે. બન્ને ૬ વર્ષથી રિલેશનમાં હતાં. ઇન્સ્ટાસ્ટોરી પર અર્જુન કપૂરે લખ્યું છે કે ‘તમે જ્યારે તમારી આસપાસ જે થાય છે એને કન્ટ્રોલ ન કરી શકો તો તમારી અંદર જે ચાલી રહ્યું હોય એના પર નિયંત્રણ લાવો.’

તો બીજી તરફ ઇન્સ્ટાસ્ટોરી પર મલાઇકાએ લખ્યું છે કે ‘તમારી લાઇફમાં એ લોકો જ રહેવાને યોગ્ય હોય છે જે તમારી સાથે પ્રેમ, ઉદારતા અને સન્માનભર્યું વર્તન કરે.’

malaika arora arjun kapoor relationships entertainment news bollywood bollywood news bollywood gossips