Anil Arora કે Anil Mehta? કોણ છે મલાઇકાના રિયલ ફાધર

13 September, 2024 07:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મલાઇકા અરોરાના પિતા અનિલ મહેતાના નિધન બાદ સતત પ્રશ્નો ઉઠી રહ્યા છે કે કોણ છે મલાઇકાના રિયલ ફાધર? જાણો વિગતો

મલાઇકા અરોરા પરિવાર સાથે (ફાઈલ તસવીર)

મલાઇકા અરોરાના પિતા અનિલ મહેતાના નિધન બાદ સતત પ્રશ્નો ઉઠી રહ્યા છે કે કોણ છે મલાઇકાના રિયલ ફાધર? જાણો વિગતો

મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાની આત્મહત્યાએ બધાને હચમચાવી દીધા હતા. તેમના નિધનના સમાચાર મળતા જ ફિલ્મી દુનિયામાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ સમગ્ર મામલે મલાઈકાનો પરિવાર ચર્ચામાં આવી ગયો છે. બુધવારે સવારે અનિલ મહેતાએ મુંબઈમાં પોતાના ઘરની ટેરેસ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ દુ:ખદ ઘટના બાદ બોલિવૂડના ઘણા મોટા નામો મલાઈકાને હિંમત આપવા આવ્યા હતા.

અરબાઝ ખાન, અર્જુન કપૂર, સલીમ ખાન, સલમા ખાન, હેલન, કરીના કપૂર, સૈફ અલી ખાન, સોહેલ ખાન, સીમા સજદેહ, કિમ શર્મા અને રિતેશ સિધવાનીએ મલાઈકા અને તેના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. મલાઈકાની માતાએ જણાવ્યું કે તેણે ઘરના લિવિંગ રૂમમાં અનિલના ચપ્પલ જોયા હતા પરંતુ જ્યારે તે તેને જોવા બાલ્કનીમાં ગઈ તો તેણે રેલિંગમાંથી ડોકિયું કરતી વખતે અનિલને નીચે પડતા જોયો.

શું અનિલ મલાઈકાના રિયલ પિતા નહોતા?
અનિલ મહેતાના નિધન બાદ હવે લોકોના મનમાં અનેક સવાલો છે, લોકો જાણવા માંગે છે કે શું અનિલ મલાઈકા અરોરાના અસલી પિતા હતા. આ સિવાય તેની માતા અને અનિલના વર્ષો પહેલા છૂટાછેડા થઈ ગયા હતા તો હવે બંને પતિ-પત્નીની જેમ સાથે કેમ રહેતા હતા તે પણ મોટો પ્રશ્ન છે. અત્યાર સુધી ઘણા લોકો માનતા હતા કે મલાઈકાના બાયોલોજિકલ પિતા અનિલ મહેતા છે, પરંતુ તમને જણાવી દઈએ કે એવું બિલકુલ નથી. ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, મલાઈકાનો અસલી પતિ અનિલ અરોરા હતો, જે પંજાબી હિન્દુ પરિવારમાંથી હતો અને ઈન્ડિયન નેવીમાં હતો.

વાસ્તવમાં, ઈન્સ્ટાગ્રામ પર તેના પિતાના મૃત્યુની માહિતી આપતી વખતે, મલાઈકાએ `અનિલ કુલદીપ મહેતા` લખ્યું હતું, જેના કારણે ચાહકો મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા. અનિલનો જન્મ 1962માં થયો હતો અને મલાઈકાનો જન્મ 1973માં થયો હતો. આટલી નાની ઉંમરના તફાવતને જોતાં, લોકોને શંકા હતી કે અનિલ ખરેખર મલાઈકાના જૈવિક પિતા છે કે નહીં.

મલાઈકા અરોરાની માતા જૉયસ પોલીકાર્પ કોણ છે?
મલાઈકાની માતા જોયસ પોલીકાર્પ મલયાલી ખ્રિસ્તી છે. જોયસના વ્યવસાય વિશે કોઈ માહિતી નથી, પરંતુ તે અવારનવાર સોશિયલ મીડિયા પર ફૂડ અને રેસિપી શેર કરતી રહે છે. તેણીની ફૂડ-સંબંધિત ટીપ્સ અને સ્વાદિષ્ટ વાનગીઓએ ઘણા અનુયાયીઓને પ્રભાવિત કર્યા છે.

મલાઈકાની માતાએ તેના પતિથી લીધા છૂટાછેડા
મલાઈકા અને અમૃતાની માતા જોયસે પહેલા અનિલ અરોરા અને પછી અનિલ કુલદીપ મહેતા સાથે લગ્ન કર્યા. જોકે, તેણે બંનેથી છૂટાછેડા લઈ લીધા હતા. અહેવાલો અનુસાર, જોયસે ઘણા સમય પહેલા અનિલ કુલદીપ મહેતાથી છૂટાછેડા લીધા હતા, પરંતુ તેમની મિત્રતા જળવાઈ રહી હતી. જોયસ અને અનિલ કુલદીપ મહેતાના છૂટાછેડા ત્યારે થયા જ્યારે મલાઈકા 11 વર્ષની હતી અને અમૃતા માત્ર 6 વર્ષની હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મલાઈકા અને અમૃતાના પિતા અનિલ અરોરા છે, અનિલ મહેતા તેમના સાવકા પિતા હતા.

અનિલ મહેતાએ તેમની બંને દીકરીઓ સાથે કરી હતી વાત
અહેવાલો અનુસાર, અનિલ મહેતાએ આત્મહત્યાના થોડા કલાકો પહેલા તેમની બે પુત્રીઓ મલાઈકા અને અમૃતાને ફોન કરીને તેમની બગડતી તબિયત વિશે જાણ કરી હતી. આ પછી તેણે ઘરની બાલ્કનીમાંથી કૂદીને આત્મહત્યા કરી લીધી.

મલાઈકા અરોરાએ આ દુ:ખદ ઘટના પર એક ઈમોશનલ પોસ્ટ કરી હતી જેમાં તેણે પરિવારની ગોપનીયતા માટે અપીલ કરી હતી. તેણીની પોસ્ટે ઘણા પ્રશ્નો ઉભા કર્યા, જેમ કે તેણીની અટક અરોરા છે જ્યારે તેણીના પિતાની અટક મહેતા છે. આ ઉપરાંત ઉંમરના તફાવતને લઈને પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.

malaika arora arjun kapoor suicide bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news