ગમેતે થઈ જાય, કેટલાક લોકો સાથે જોડાવું મને પસંદ નથી

03 July, 2024 12:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોનાક્ષી સિંહાનાં લગ્નમાં કેમ હાજરી નહોતી આપી એ વિશે લવ સિંહાએ તોડી ચુપકી

લવ સિંહા

સોનાક્ષી સિંહાના ભાઈ લવ સિંહાએ તેની બહેનનાં લગ્નમાં હાજરી કેમ નહોતી આપી એ વિશે વાત કરી છે. સોનાક્ષીએ ઝહીર ઇકબાલ સાથે ૨૩ જૂને મુંબઈમાં સ્પેશ્યલ મૅરેજ ઍક્ટ હેઠળ લગ્ન કર્યાં હતાં. આ લગ્નમાં કુશે હાજરી આપી હતી, પરંતુ એ જાહેરમાં વધુ જોવા નહોતો મળ્યો. જોકે તેનો બીજો ભાઈ લવ લગ્નમાં ગેરહાજર હતો. તે લગ્નમાં હાજર નહોતો એ માટે ઝહીર ઇકબાલના પિતાનો બિઝનેસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઝહીરના પિતા જે પૉલિટિશ્યનને ઓળખે છે તેની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તેમ જ દુબઈમાં ઝહીરના પિતાનો જે બિઝનેસ છે એ વિશે પણ તેને ઘણા સવાલ હતા. લવનું કહેવું છે કે તેના માટે તેની ફૅમિલી પહેલાં છે, પરંતુ આ સિવાય તેના વિશે જે ખોટા સમાચાર ફેલાવવામાં આવે છે એ ન ફેલાવવા જોઈએ. ગેરહાજરી વિશે લવ સિંહાએ ટ્વીટ કર્યું હતું કે ‘મેં કેમ લગ્નમાં હાજરી નહોતી આપી એનું કારણ ખૂબ જ ક્લિયર છે. કેટલાક લોકો સાથે ગમે તે થઈ જાય, પરંતુ હું તેમની સાથે જોડાવાનું પસંદ નહીં કરું. મને એ વાતની ખુશી છે કે કેટલાક લોકોએ રિસર્ચ કર્યું છે અને એ વિશે વાતો કરી છે.’

sonakshi sinha zaheer iqbal luv sinha entertainment news bollywood bollywood news