આમિર સાથેના ડિવૉર્સને હૅપી ડિવૉર્સ કેમ કહે છે કિરણ રાવ?

23 July, 2024 02:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એનું કારણ એ છે કે તેને આમિરના પરિવારનો પણ સપોર્ટ મળે છે

ફાઇલ તસવીર

આમિર ખાન અને કિરણ રાવે ૨૦૨૧માં ડિવૉર્સ લીધા હોવાનું જાહેર કર્યું હતું. હવે કિરણ કહે છે કે ડિવૉર્સ લીધા હોવા છતાં પણ તે ખુશ છે, એનું કારણ એ છે કે તેને આમિરના પરિવારનો પણ સપોર્ટ મળે છે. એથી કિરણ ડિવૉર્સને હૅપી ડિવૉર્સ કહે છે. બન્નેને લગ્નજીવન દરમ્યાન આઝાદ નામનો દીકરો છે. આમિરથી ડિવૉર્સ લેવા વિશે કિરણ કહે છે, ‘મને એવું લાગે છે કે સંબંધોને સમય-સમય પર ફરીથી શરૂ કરવા જોઈએ, કારણ કે જેમ-જેમ આપણી ઉંમર વધે તેમ-તેમ આપણામાં પરિવર્તન આવતું જાય છે. આપણને બદલાવ જોઈતો હોય છે અને આ ડિવૉર્સથી તો મને ખુશી મળી છે. પ્રામાણિકપણે કહું તો હું અતિશય ખુશ છું. આમિરને મળી એ પહેલાં હું ઘણા સમયથી સિંગલ હતી. મારી આઝાદીને મેં ખૂબ એન્જૉય કરી હતી. એ વખતે હું એકલી હતી. હવે મારી પાસે મારો દીકરો આઝાદ છે એથી હું એકલી નથી. મને લાગે છે કે લોકો જ્યારે ડિવૉર્સ લે છે કે પછી પોતાના પાર્ટનરને ગુમાવી દે છે ત્યારે તેમને એકલતાની ચિંતા સતાવવા લાગે છે. જોકે મને એકલતાનો જરાય ડર નથી. મને તો તેના અને મારા પરિવાર તરફથી સપોર્ટ મળે છે. એથી મારા માટે આ હૅપી ડિવૉર્સ છે.’

kiran rao aamir khan entertainment news bollywood bollywood news