મોંજોલિકા-રૂહબાબાનું થશે મિલન

13 February, 2024 06:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ભૂલભુલૈયા 3’માં કાર્તિક આર્યન અને વિદ્યા બાલન સાથે જોવા મળશે

કાર્તિક આર્યન , વિદ્યા બાલન

‘ભૂલભુલૈયા 3’માં હવે કાર્તિક આર્યન અને વિદ્યા બાલન સાથે જોવા મળશે. ‘ભૂલભુલૈયા’માં અક્ષયકુમાર અને વિદ્યા બાલને કામ કર્યું હતું. આ ફિલ્મમાં મોંજોલિકાના પાત્રમાં વિદ્યા બાલન જોવા મળી હતી અને તેનું પાત્ર ખૂબ જ ફેમસ થયું હતું. આ ફિલ્મની સીક્વલમાં કાર્તિક આર્યને કામ કર્યું હતું. તેણે રૂહબાબાનું પાત્ર ભજવ્યું હતું. તેના પાત્રને પણ ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. ભૂષણકુમાર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ સિરીઝની ત્રીજી ફિલ્મમાં હવે કાર્તિક આર્યન અને વિદ્યા બાલન બન્ને જોવા મળશે. આ ત્રીજી ફિલ્મને અનીસ બઝ્મી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે. આ ફિલ્મને આ વર્ષે દિવાળી પર રિલીઝ કરવામાં આવશે. કાર્તિક અને વિદ્યા બાલને એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આ વિશે માહિતી આપી હતી. કાર્તિકે કૅપ્શન આપી હતી કે ‘આ ફાઇનલ થઈ ગયું છે. ઓરિજિનલ મોંજોલિકા હવે ‘ભૂલભુલૈયા’ની  દુનિયામાં ફરી આવી રહી છે. વિદ્યા બાલનનું સ્વાગત કરવા માટે હું ખૂબ જ ઉત્સુક છું. આ દિવાળી ‘ભૂલભુલૈયા 3’ને કારણે ખૂબ જ ધમાકેદાર રહેવાની છે.’

vidya balan kartik aaryan entertainment news bollywood news bollywood buzz bollywood