કાજોલનો દીકરા યુગે દુર્ગાપૂજા પંડાલમાં પ્રસાદ પીરસ્યો

25 October, 2023 02:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવરાત્રિ હોવાથી બૉલીવુડ ભક્તિરસમાં ડૂબી ગયું હતું. વિવિધ સેલિબ્રિટીઝે માતાનાં દર્શન કર્યાં હતાં અને આશીર્વાદનો લાભ લીધો હતો.

કાજોલનો દીકરો યુગ

કાજોલના દીકરા યુગે દુર્ગાપૂજાના પંડાલમાં સેવા આપતા લોકોને પ્રસાદ પીરસ્યો હતો. નવરાત્રિ હોવાથી બૉલીવુડ ભક્તિરસમાં ડૂબી ગયું હતું. વિવિધ સેલિબ્રિટીઝે માતાનાં દર્શન કર્યાં હતાં અને આશીર્વાદનો લાભ લીધો હતો. દુર્ગાપૂજાના પંડાલમાં કાજોલ, તનુજા, જયા બચ્ચન, રાની મુખરજી, કૅટરિના કૈફ, બિપાશા બાસુ અને અન્ય સ્ટાર્સ પણ પહોંચ્યાં હતાં. નોમના દિવસે ત્યાં ભક્તો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતું, એમાં કાજોલના દીકરા યુગે સૌને પ્રસાદ પીરસ્યો હતો. એનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાજોલે કૅપ્શન આપી હતી, ‘શુભો નવમી. એ ખરેખર આનંદદાયક દિવસ રહ્યો. મારા દીકરાએ સૌને પ્રસાદ પીરસ્યો હતો અને તેને દર વર્ષે કરવામાં આવતી આ પ્રથા વિશે સમજાવ્યું હતું. અમાન દેવગને પણ  પ્રસાદ પીરસ્યો હતો. એવા અનેક લોકો ત્યાં હાજર હતા જેમને હું ચાહું છું. સર્વત્ર ખુશનુમા વાતાવરણ હતું. દરેક માટે તો પૂજા પૂરી થઈ ગઈ, પરંતુ અમારે માટે મનમાં એક પ્રકારની ઉદાસી છવાઈ ગઈ છે. આ વર્ષ તો સફળતાથી પાર પડ્યુ, પરંતુ એ પૂરું થયું એનું દુ:ખ લાગી રહ્યું છે.’

kajol navratri bollywood news bollywood gossips bollywood entertainment news