હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ કેવી તબિયત હતી એ વિશે જાહ્‍નવીએ કહ્યું...

25 July, 2024 10:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૅન્ડિકૅપ્ડ અને પૅરેલાઇઝ્ડ હોવાનો એહસાસ થતો હતો

જાહ્‍નવી કપૂર

જાહ્‍નવી કપૂરને થોડા સમય પહેલાં હૉસ્પિટલમાં ઍડ્‍મિટ કરવામાં આવી હતી. તે ચેન્નઈથી આવી ત્યારથી જ તે અસ્વસ્થતા અનુભવતી હતી. જોકે બાદમાં તેની તબિયત વધુ ખરાબ થતાં તેને એચ. એન. રિલાયન્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એ દરમ્યાન તેના ડૅડી બોની કપૂર, બહેન ખુશી કપૂર અને તેનો બૉયફ્રેન્ડ શિખર પહાડિયા તેની પડખે ઊભાં હતાં. કેવી હાલત થઈ હતી એ વિશે જાહ્‍નવી કહે છે, ‘હું અડધા દિવસ માટે જ ચેન્નઈ ગઈ હતી અને મને લાગે છે કે ઍરપોર્ટ પર મેં કાંઈક ખાધું કે શું થયું કંઈ ખ્યાલ નથી. શરૂઆતમાં લાગ્યું કે પેટમાં કંઈ સમસ્યા છે, પરંતુ હૉસ્પિટલમાં જ્યારે બધી ટેસ્ટ કરવામાં આવી ત્યાર બાદ જાણ થઈ કે બ્લડના પૅરામીટર્સમાં ગરબડ થઈ હતી. પેટની તકલીફ દૂર થતાં શરીરમાં દુખાવો, કમજોરી અને ધ્રુજારી થતાં હતાં. મને એવું લાગતું હતું કે હું હૅન્ડિકૅપ અને પૅરેલાઇઝ્ડ થઈ ગઈ હતી. હું મારી જાતે બાથરૂમમાં પણ નહોતી જઈ શકતી. હું વાત નહોતી કરી શકતી, ચાલી નહોતી શકતી અને મારી જાતે જમી પણ નહોતી શકતી. મને લાગે છે કે મારે આરામની જરૂર હતી જે હૉસ્પિટલમાં દાખલ થયા બાદ મળ્યો હતો.’

bollywood news bollywood entertainment news janhvi kapoor bollywood gossips