અનંત-રાધિકા લગ્નમાં ધૂમ મચાવ્યાં બાદ જ્હાન્વી કપૂરની તબિયત લથડી: હૉસ્પિટલમાં દાખલ

18 July, 2024 07:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જ્હાન્વીને આજે એટલે કે 18મી જુલાઈએ ફૂડ પોઇઝનિંગના કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અહેવાલ છે કે, ખરાબ તબિયતના કારણે જ્હાન્વી કપૂરે તેના તમામ વર્ક કમિટમેન્ટ્સ મોકૂફ રાખ્યા છે

જ્હાન્વી કપૂરની ફાઇલ તસવીર

Janhvi Kapoor Admitted to Hospital: બોલિવૂડ અભિનેત્રી જ્હાન્વી કપૂરની તબિયત ખરાબ હોવાને કારણે તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્હાન્વીને આજે એટલે કે 18મી જુલાઈએ ફૂડ પોઇઝનિંગના કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અહેવાલ છે કે, ખરાબ તબિયતના કારણે જ્હાન્વી કપૂરે તેના તમામ વર્ક કમિટમેન્ટ્સ મોકૂફ રાખ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો બુધવારથી જ જ્હાન્વી કપૂરની તબિયત બગડી રહી છે.

જ્હાન્વી કપૂર હૉસ્પિટલમાં દાખલ

ટાઇમ્સ નાઉના સમાચાર અનુસાર, બુધવારે જ્હાન્વી કપૂરને નબળાઈ અને બેચેની અનુભવાઈ હતી જેના કારણે તે પથારીવશ થઈ ગઈ હતી. આ પછી, જ્હાન્વી કપૂરને ગુરુવારે હૉસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. જ્હાન્વી કપૂરના એક નજીકના મિત્રએ ટાઇમ્સ નાઉને જણાવ્યું હતું કે, જ્હાન્વી કપૂરે ગુરુવારે આખા અઠવાડિયા માટે તેની તમામ એપોઇન્ટમેન્ટ સ્થગિત કરી દીધી છે.

બુધવારે જ્હાન્વીની તબિયત લથડી

બુધવારે અસ્વસ્થતા અનુભવ્યા પછી ગુરુવારે જ્હાન્વી કપૂરની તબિયત વધુ બગડી, ત્યારબાદ પરિવારે તેને હૉસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય કર્યો જેથી તેણીને યોગ્ય તબીબી સારવાર મળી શકે. હવે તે સ્વસ્થ થઈ રહી છે. જોકે, તેણી હજુ પણ નબળાઈ અનુભવી રહી છે. જો રિપોર્ટ્સનું માનીએ તો જ્હાન્વીને 19 જુલાઈએ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. જોકે, જ્હાન્વી કપૂરે હજુ સુધી આ સમાચારો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

જ્હાન્વીની ફિલ્મ ‘ઉલઝ’ ક્યારે રિલીઝ થશે?

જ્હાન્વી કપૂરના કામની વાત કરીએ તો તેની ફિલ્મ ‘ઉલઝ’ ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં જ્હાન્વી કપૂર સાથે ગુલશન દેવૈયા જોવા મળશે. આ ફિલ્મમાં જ્હાન્વી કપૂર સૌથી યુવા ડેપ્યુટી કમિશનર સુહાના ભાટિયાની ભૂમિકા ભજવશે. સુધાંશુ સરિયાએ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. જો ફિલ્મની રિલીઝની વાત કરીએ તો આ ફિલ્મ 02 ઑગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ જ્હાન્વી કપૂરે તેની આગામી ફિલ્મ ‘ઉલઝ’નું નવું પોસ્ટર શૅર કર્યું છે. આ ફિલ્મમાં તે ઇન્ડિયન ફૉરેન સર્વિસના ઑફિસરના રોલમાં દેખાવાની છે. એમાં દેખાડવામાં આવશે કે કઈ રીતે તે રાજનીતિ અને ષડયંત્રનો શિકાર બને છે. તેનો પરિવાર દેશભક્ત હોય છે. તેની જર્નીને આ ફિલ્મમાં દેખાડવામાં આવશે.

દરેક ચહેરો સ્ટોરી કહે છે: જ્હાન્વીએ શેર કર્યું ફિલ્મનું પોસ્ટર

​ફિલ્મમાં જ્હાન્વીની સાથે ગુલશન દેવૈયા, રાજેશ તેલંગ અને રોશન મૅથ્યુ લીડ રોલમાં છે. ફિલ્મ બીજી ઑગસ્ટે રિલીઝ થવાની છે. ફિલ્મનું નવું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જાહ્‌નવીએ કૅપ્શન આપી, ‘દરેક ચહેરો સ્ટોરી કહે છે અને દરેક સ્ટોરી એક ટ્રૅપ છે. ‘ઉલઝ’ કો સુલઝાઓ. બીજી ઑગસ્ટે થિયેટરમાં ફિલ્મ રિલીઝ થાય છે.’

janhvi kapoor Anant Ambani Radhika Merchant Wedding bollywood bollywood news bollywood buzz entertainment news