હું બીજો રણબીર કપૂર નથી, હું પહેલો જયદીપ અહલાવત છું

04 June, 2024 02:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટૅલન્ટમાં વિશ્વાસ કરનાર જયદીપ અહલાવતે કહ્યું...

જયદીપ અહલાવત

જયદીપ અહલાવતનું માનવું છે કે તે નેપોટિઝમ પર વિશ્વાસ નથી કરતો. સ્ટાર કિડની ટૅલન્ટ વિશે તે કહે છે કે રણબીર કપૂર બહારથી આવ્યો હોત તો પણ તે રણબીર જ બન્યો હોત. સાથે જ તેની પોતાની અલગ ઓળખ છે. તેનું એવું કહેવું છે કે જો કોઈ યુવતી ઇન્ડસ્ટ્રીમાં આલિયા ભટ્ટ બનવા આવે તો એ ખોટું કહેવાય. તે ઇન્ડસ્ટ્રીમાં રણબીર કપૂર બનવા નથી આવ્યો એવું તેનું કહેવું છે. રણબીરની પ્રશંસા કરતાં જયદીપ કહે છે, ‘તે રણબીર કપૂર છે અને તે સ્ટાર કિડ છે એથી સારો ઍક્ટર છે એવો ભ્રમ ન રાખવો. તે બહારથી પણ આવ્યો હોત તો પણ તે રણબીર કપૂર જ બન્યો હોત. હું બીજો રણબીર કપૂર નથી, હું પહેલો જયદીપ અહલાવત છું.’

jaideep ahlawat ranbir kapoor bollywood buzz bollywood news bollywood entertainment news