Israel-Palestine Crisis : યુદ્ધ વચ્ચે ફસાઈ ગઈ નુસરત ભરુચા, કઈ રીતે આવશે ભારત?

08 October, 2023 10:30 AM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

Israel-Palestine Crisis : શનિવારથી ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. એક્ટ્રેસ નુસરત ભરુચા બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલમાં ફસાઈ ગઈ છે.

નુસરત ભરુચા

શનિવારથી ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ (Israel-Palestine Crisis) ચાલી રહ્યું છે. આ સાથે જ બોલિવૂડ જગતમાંથી એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે કે એક્ટ્રેસ નુસરત ભરુચા બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (Israel-Palestine Crisis) વચ્ચે ઈઝરાયેલમાં ફસાઈ ગઈ છે. જયારે આ સમાચાર સામે આવ્યા ત્યારબાદ અભિનેત્રીના ચાહકો ખૂબ જ ચિંતિત જણાઈ રહ્યા હતા. આ સાથે જ અભિનેત્રીના અનેક ચાહકો નુસરત સુરક્ષિત રીતે પોતાના દેશ પરત આવે તે માટે પ્રાર્થના કરી રહ્યા હતા. પરંતુ હવે અભિનેત્રી વિશે એક રાહતના સમાચાર સામે આવ્યા છે.

ઈઝરાયેલમાં ફસાયેલી નુસરત ભરુચા સાથે હવે સંપર્ક કરવામાં આવ્યો છે. અ સંપર્ક બાદ એવું જાણવા મળ્યું છે કે અભિનેત્રી એકદમ સુરક્ષિત છે. તે ઈઝરાયેલથી ભારત પરત ફરવા એરપોર્ટ પર પહોંચી છે. તે ટૂંક જ સમયમાં ભારતની ફ્લાઈટ લઈને પોતાના દેશ પરત ફરી રહી છે. નુસરતના પરિવારના સભ્યો, ચાહકો અને સમગ્ર દેશ માટે આ રાહતના સમાચાર છે. નુસરત સુરક્ષિત રીતે પોતાના દેશ પરત ફરે તેની બધા લોકો રાહ જોઈ રહ્યા છે.

નુસરત ભરુચા ઈઝરાયેલમાં કઈ રીતે ફસાઈ?

તમને જણાવી દઈએ કે નુસરત ભરુચા હાઈફા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બની હતી અને એ જ કારણોસર તે ઈઝરાયેલ ગઈ હતી. પરંતુ આ દરમિયાન ત્યાં યુદ્ધ (Israel-Palestine Crisis) શરુ થયું અને નુસરત ત્યાં જ ફસાઈ ગઈ. અભિનેત્રીની ટીમે આ અંગે માહિતી આપી હતી.

અભિનેત્રીની ટીમે અંગે માહિતી આપતાં કહ્યું હતું કે અભિનેત્રી કોઈ એક બેસ્મેન્ટમાં છે અને ત્યાં તે એકદમ સુરક્ષિત છે. પરંતુ ચિંતા ત્યારે વધી ગઈ જ્યારે નુસરત સાથેની આ વાતચીત બાદ તેની ટીમનો સંપર્ક તૂટી ગયો. તેમની ટીમે કહ્યું હતું કે અમે સંપર્ક કરી શકતા નહોતા. અમે નુસરતને સુરક્ષિત રીતે ભારત પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને આશા રાખીએ છીએ કે તે સ્વસ્થ અને સુરક્ષિત પરત ફરે. હવે લેટેસ્ટ માહિતી અનુસાર નુસરત સુરક્ષિત રીતે એરપોર્ટ પર પહોંચી ગઈ છે. ટૂંક સમયમાં તે ભારતની ફ્લાઈટમાં બેસશે.

આ ફિલ્મોમાં નુસરત ભરુચાએ પોતાના અભિનયની કમાલ બતાવી હતી

નુસરત ભરુચાની વાત કરીએ તો તે બોલિવૂડનું ખુ જ જાણીતું નામ છે. નુસરતે ઘણી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી ચાહકોનું દિલ જીતી લીધું છે. અભિનેત્રીએ પોતાના કરિયરમાં પ્યાર કા પંચનામા, ડ્રીમ ગર્લ, જનહિત મેં જારી, રામ સેતુ જેવી ફિલ્મો કરી છે. અ સાથે જ નુસરત છેલ્લે ફિલ્મ અકેલીમાં જોવા મળી હતી.

શનિવારે પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસે માત્ર 20 મિનિટમાં ઈઝરાયેલ પર 5,000 રોકેટ છોડ્યા હતા. આ હુમલામાં અત્યાર સુધીમાં 300થી વધુ લોકોના મોત (Israel-Palestine Crisis) થયા હોવાના અહેવાલ છે. જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે.

nushrat bharucha israel bollywood news bollywood gossips bollywood entertainment news