ઘર વેચીને પણ ફિલ્મ બનાવીશ, પરંતુ કોઈના પ્રેશરમાં આવીને કામ નહીં કરું

28 August, 2024 09:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રોડ્યુસર બનવાનું ખરું કારણ જણાવ્યું કંગનાએ

કંગના રનૌત

કંગના રનૌત ઍક્ટરની સાથે પ્રોડ્યુસર અને ડિરેક્ટર પણ છે. તેની ‘ઇમર્જન્સી’ ૬ સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને કંગનાએ પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં તે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના રોલમાં દેખાવાની છે. તેનું કહેવું છે કે તે કોઈના પ્રેશરમાં કામ નથી કરી શકતી એથી ફિલ્મ પોતે જ પ્રોડ્યુસ કરે છે. ફિલ્મની પ્રોડ્યુસર બનવા વિશે કંગના કહે છે, ‘પ્રોડ્યુસર બનવા પાછળનું એક કારણ એ હતું કે હું કોઈના પ્રેશરમાં કામ નથી કરી શકતી. પ્રોડ્યુસર અનેક વખત ડિરેક્ટર્સ પર દબાણ નાખે છે. તેમના કામમાં દરમ્યાનગીરી કરે છે. મને આ બધું નથી જોઈતું. આમ વિચારીને જ મેં ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. જોકે પૈસાની બાબતમાં મારો હિસાબ ગરબડવાળો છે. હું કલાકારોને પૈસા આપવામાં ક્યારેય પાછળ નથી હટતી. મારી ટીમ કહે છે કે આટલા પૈસા ક્યાંથી આવશે? હું તેમને કહેતી કે મારું ઘર વેચી દેજો. ઘર વેચીને ફિલ્મો બનાવવી મંજૂર છે, પરંતુ કોઈના પ્રેશરમાં કામ કરવું જરા પણ સ્વીકાર્ય નથી.’

kangana ranaut entertainment news bollywood bollywood news upcoming movie