midday

અદિતિ રાવ હૈદરીને એક દિવસ ભૂખી કેમ રાખેલી સંજય લીલા ભણસાલીએ?

02 May, 2024 07:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નેટફ્લિક્સ પર ગઈ કાલે રિલીઝ થયેલી આઠ એપિસોડની સિરીઝ ‘હીરામંડી : ધ ડાયમન્ડ બઝાર’માં તેણે બિબોજાનનું પાત્ર ભજવ્યું છે.
સંજય લીલા ભણસાલી , અદિતી રાવ હૈદરી

સંજય લીલા ભણસાલી , અદિતી રાવ હૈદરી

સંજય લીલા ભણસાલીએ એક દૃશ્ય માટે અદિતિ રાવ હૈદરીને ભૂખી રાખી હતી. નેટફ્લિક્સ પર ગઈ કાલે રિલીઝ થયેલી આઠ એપિસોડની સિરીઝ ‘હીરામંડી : ધ ડાયમન્ડ બઝાર’માં તેણે બિબોજાનનું પાત્ર ભજવ્યું છે. આ શો વિશે વાત કરતાં અદિતિ કહે છે, ‘લોકો ઍક્ટરને એક અલગ નજરે જુએ છે. તે ખૂબ જ નાજુક છે, હવાથી ઊડી જશે એવું પણ કહેતા હોય છે. જોકે સંજય લીલા ભણસાલી વ્યક્તિને અલગ નજરે જુએ છે. એક દિવસ તેમણે મને ભૂખી રાખી હતી, કારણ કે મારે ખૂબ જ જુસ્સાથી ભરેલું દૃશ્ય કરવાનું હતું. તેમણે કહ્યું હતું કે આજ ખાના મત ખાના. એ નિર્ણયને લીધે મને એ દૃશ્યમાં મારી સાથે થતા અન્યાયને સમજવામાં ખૂબ જ મદદ મળી હતી. સંજય લીલા ભણસાલી તેમના કામને લઈને ખૂબ જ પૅશનેટ છે. સિનેમાના આર્ટની દરેક બાબત સાથે તેમને ખૂબ જ પ્રેમ છે. હું એટલું કહીશ કે તમે જ્યારે તેમના સેટ પર હો ત્યારે એક ઍક્ટર તરીકે પોતાની જાતને સમર્પિત કરવી પડે છે.’

Whatsapp-channel
aditi rao hydari sanjay leela bhansali heeramandi entertainment news bollywood buzz bollywood news bollywood netflix