ગણપતિબાપ્પાને વિદાય આપી નીતુ અને રણબીર કપૂરે

13 September, 2024 10:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે આલિયા ભટ્ટ અને રાહા દેખાયાં નહીં

નીતુ અને રણબીર કપૂરે ગણપતિબાપ્પાને વિદાય આપી

નીતુ કપૂર અને રણબીર કપૂરે બુધવારે ગણપતિબાપ્પાની મૂર્તિનું વિસર્જન કર્યું હતું. કપૂર પરિવારે પાંચ દિવસ બાપ્પા પધરાવ્યા હતા અને બુધવારે મૂર્તિનું વિસર્જન કર્યું હતું. વિસર્જન કરતાં પહેલાં રણબીર અને નીતુએ આરતી કરી હતી. રાજ કપૂરે તેમના ચેમ્બુરના આર. કે. સ્ટુડિયોઝમાં શરૂ કરેલી ગણપતિબાપ્પાની સ્થાપનાની પરંપરા રણબીર કપૂરે જાળવી રાખી છે. જોકે રણબીરની પત્ની આલિયા અને દીકરી રાહા વિસર્જન વખતે નજરે નહોતાં ચડ્યાં.

ranbir kapoor neetu kapoor ganpati ganesh chaturthi festivals entertainment news bollywood bollywood news