કરણ જોહરે ખૂબ જ ઊંડા ઘા આપ્યા છે : ફરીદા જલાલ

10 June, 2024 01:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમણે કરણ જોહર અને યશ ચોપડા સાથે અગાઉ કામ કર્યું હતું, પરંતુ તેમણે કામનું પ્રૉમિસ આપ્યું હોવા છતાં તેમને નહોતું મળ્યું

ફરીદા જલાલ

ફરીદા જલાલને ઘણાં વર્ષોથી કોઈ કામ નહોતું મળ્યું. તેઓ સંજય લીલા ભણસાલીની ‘હીરામંડી : ધ ડાયમન્ડ બાઝાર’માં જોવા મળ્યાં હતાં. તેમણે કરણ જોહર અને યશ ચોપડા સાથે અગાઉ કામ કર્યું હતું, પરંતુ તેમણે કામનું પ્રૉમિસ આપ્યું હોવા છતાં તેમને નહોતું મળ્યું. ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’માં કામ કર્યા બાદ ‘દિલ તો પાગલ હૈ’ માટે યશ ચોપડાએ સ્પેશ્યલી ફરીદા જલાલને ફોન કર્યો હતો. આ રોલ નાનો હતો, પરંતુ સ્પેશ્યલી ફોન કર્યો હોવાથી તેમણે હા પાડી હતી. જોકે આદિત્ય ચોપડાની ઇચ્છા ન હોવાથી આ રોલ તેમને નહોતો મળ્યો. કરણ જોહરે પણ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ માટે તેમનો સંપર્ક કર્યો હતો અને પછી રોલ નહોતો આપ્યો. આ વિશે વાત કરતાં ફરીદા જલાલ કહે છે, ‘હું ખૂબ જ દુખી છું. હું આ ખૂબ જ સ્પષ્ટતાથી કહું છું. તેઓ શરૂઆતમાં નવોદિત હતા ત્યારે અમે તેમનો હાથ પકડીને ચાલ્યા હતા. એક સમયે ઍક્ટરનો હાથ પણ પકડવાની જરૂર પડે છે. આ ખૂબ જ ઊંડો ઘા છે અને એ હંમેશાં દુઃખ આપશે.’

farida jalal karan johar entertainment news bollywood bollywood news