05 July, 2024 08:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂરની ‘સ્ત્રી 2’ ૧૫ ઑગસ્ટે રિલીઝ થવાની છે. એ પહેલાં ફિલ્મના ડિરેક્ટર અમર કૌશિકે શક્યતા વ્યક્ત કરી છે કે આ ફિલ્મના અનેક પાર્ટ બની શકે છે. ‘સ્ત્રી 2’માં રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અભિષેક બૅનરજી અને અપારશક્તિ ખુરાના પણ લીડ રોલમાં છે. ફિલ્મના અન્ય પાર્ટ્સ બનાવવા વિશે ડિરેક્ટર અમર કહે છે, ‘ફિલ્મના અન્ય પાર્ટ બનાવવાની શક્યતા છે. એવી કેટલીક સ્ટોરી કહેવાની બાકી છે, કેટલાંક કૅરૅક્ટર્સ એક્સપ્લોર કરવાનાં બાકી છે. ‘સ્ત્રી 2’ રિલીઝ થશે ત્યાર પછી જ એ વિશે ચોક્કસ નિર્ણય લેવામાં આવશે. ‘સ્ત્રી’નો ત્રીજો, ચોથો અને પાંચમો પાર્ટ બનાવવાની શક્યતા છે. જોકે બનાવવા પૂરતી નહીં બનાવીશ. દર્શકો તરફથી ડિમાન્ડ હોવી જરૂરી છે. મારી પાસે સ્ટોરી છે. ડિમાન્ડ આવશે ત્યારે જ હું બનાવીશ.’
‘સ્ત્રી 2’ની સાથે અક્ષયકુમારની ‘ખેલ ખેલ મેં’ અને જૉન એબ્રાહમની ‘વેધા’ રિલીઝ થવાની છે. ડિરેક્ટરનું માનવું છે કે આ ફિલ્મોને જોનારા દર્શકો છે. લોકો એ બધી ફિલ્મો જોશે. એ વિશે અમર કહે છે, ‘હું એક ફિલ્મમેકર છું અને મારી ફિલ્મને સારી બનાવવાનો મેં પૂરો પ્રયાસ કર્યો છે.’