આટલુંબધું કામ મળશે એવી આશા નહોતી : નુસરત ભરૂચા

23 August, 2023 03:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વિશે વાત કરતાં નુસરતે કહ્યું કે ‘મેં જ્યારે કરીઅરની શરૂઆત કરી ત્યારે મને નહોતી ખબર કે મને આટલુંબધું કામ મળશે.

નુસરત ભરૂચા

નુસરત ભરૂચાનું કહેવું છે કે તેને સપનામાં પણ એવું નહોતું થયું કે તેને આટલુંબધું કામ મળશે. તેને ‘પ્યાર કા પંચનામા’ દ્વારા ઓળખ મળી હતી અને ત્યાર બાદ તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેની ‘અકેલી’ હવે આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે જેમાં તેણે જ્યોતિનું પાત્ર ભજવ્યું છે. આ વિશે વાત કરતાં નુસરતે કહ્યું કે ‘મેં જ્યારે કરીઅરની શરૂઆત કરી ત્યારે મને નહોતી ખબર કે મને આટલુંબધું કામ મળશે. મને નહોતી ખબર કે હું આટલાંબધાં પાત્રો ભજવી શકીશ. મને જે કામ આપવામાં આવતું હતું એ હું કરતી ગઈ. હું એ વાંચતી ગઈ અને એને અલગ રીતે ભજવતી ગઈ. ત્યાર બાદ મને એક અલગ સ્ક્રિપ્ટ મળી. મેં એને પણ મારી રીતે ભજવવાની કોશિશ કરી અને મેં જે વિચાર્યું હતું એ મને મળ્યું. મને જે જોઈતું હોય એ ન મળે ત્યારે હું ડિરેક્ટરના વિઝનને ફૉલો કરું છું અને તેની પાસેથી ઍડ્વાઇઝ લઉં છું. મારા પાત્રમાં વિવિધતા લાવવા માટે હું અવાજ બદલું છું, ચાલ બદલું છું અને લુક પણ બદલું છું. જો એની જરૂર ન હોય તો હું નૉર્મલ છોકરીનું પણ પાત્ર ભજવું છું. આ કામ કરતાં-કરતાં મેં ફિલ્મી દુનિયામાં ઘણાં પાત્રોને એક્સપ્લોર કર્યાં છે અને એ મેં સપનામાં પણ નહોતું વિચાર્યું.’

nushrat bharucha bollywood news bollywood gossips bollywood entertainment news