સોશ્યલ મીડિયામાં ઐશ્વર્યાને અનફૉલો કરી અમિતાભ બચ્ચને?

10 December, 2023 09:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમિતાભ બચ્ચને ઇન્સ્ટાગ્રામ પર ઐશ્વર્યા રાય બચ્ચનને અનફૉલો કરી હોવાનું જાણવા મળ્યું છે. તેમના ફૅન્સ વાસ્તવિકતા જાણવા માટે આતુર બન્યા છે.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચને ઇન્સ્ટાગ્રામ પર ઐશ્વર્યા રાય બચ્ચનને અનફૉલો કરી હોવાનું જાણવા મળ્યું છે. તેમના ફૅન્સ વાસ્તવિકતા જાણવા માટે આતુર બન્યા છે. ઇન્સ્ટાગ્રામ પર અમિતાભ બચ્ચનના ૩૬.૩ મિલ્યન ફૉલોઅર્સ છે. તેઓ માત્ર ૭૪ લોકોને જ ફૉલો કરે છે; જેમાં અભિષેક બચ્ચન, સલમાન ખાન, પ્રિયંકા ચોપડા જોનસ, આલિયા ભટ્ટ, ક્રિતી સૅનન, વિકી કૌશલ, કૅટરિના કૈફ, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, ભૂમિ પેડણેકર, અનન્યા પાન્ડે, ટાઇગર શ્રોફ, આયુષમાન ખુરાના, તાપસી પન્નુ, શાહિદ કપૂર, અર્જુન કપૂર, શિલ્પા શેટ્ટી કુન્દરા, હૃતિક રોશન, વરુણ ધવન, અજય દેવગન, કપિલ શર્મા, સોનમ કપૂર આહુજા, શ્રદ્ધા કપૂર, કાર્તિક આર્યન, અક્ષયકુમાર, સારા અલી ખાન અને શ્વેતા બચ્ચન નંદા સહિત અન્ય લોકોને ફૉલો કરે છે. જોકે આ લિસ્ટમાં ઐશ્વર્યાનું નામ ક્યાંય નથી. એવું પણ કહેવાય છે કે અમિતાભ બચ્ચને કદી ઐશ્વર્યાને ફૉલો નથી કરી. એથી અનફૉલો કરવાને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ ન કરી શકાય. એવું પણ સાંભળવા મળ્યું છે કે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચે સંબંધ વણસ્યા છે. જોકે તાજેતરમાં ‘ધ આર્ચીઝ’ના સ્ક્રીનિંગમાં આખો બચ્ચન-પરિવાર હાજર હતો. 

amitabh bachchan aishwarya rai bachchan bollywood news bollywood gossips bollywood entertainment news