લોકો આજે રામાયણનો કચરો કરી રહ્યા છે

07 June, 2024 12:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ફિલ્મ વિશે દીપિકા ચિખલિયાએ કહ્યું...

દીપિકા ચિખલિયા

દીપિકા ચિખલિયા ઇચ્છે છે કે રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ‘રામાયણ’ ન બનવી જોઈએ. આ ફિલ્મને નિતેશ તિવારી ડિરેક્ટ કરી રહ્યા છે અને સાઉથનો સ્ટાર યશ એને પ્રોડ્યુસ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તે રાવણનું પાત્ર ભજવશે એવી ચર્ચા હતી, પરંતુ પછી એવી વાતો ચાલી હતી કે તે ફક્ત ફિલ્મને પ્રોડ્યુસ જ કરશે. હવે એવી પણ અટકળો ચાલી રહી છે કે આ ફિલ્મ માટે તેને ૨૦૦ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. આ ફિલ્મ હંમેશાંથી ચર્ચામાં રહી છે. આ વિશે દીપિકા ચિખલિયા કહે છે, ‘સાચું કહું તો જે લોકો ‘રામાયણ’ બનાવવાની કોશિશ કરી રહ્યા છે તેમનાથી હું ખૂબ જ નારાજ છું, કારણ કે મને નથી લાગતું કે એને બનાવવી જોઈએ. લોકો ‘રામાયણ’નો કચરો કરી રહ્યા છે. મને નથી લાગતું કે લોકોએ હવે એ બનાવવાની કોશિશ કરવી જોઈએ; કારણ કે જેટલી વાર બનાવવામાં આવે છે એટલી વાર એમાં નવી સ્ટોરી, નવો ઍન્ગલ અને નવા લુકને દેખાડવાની કોશિશ કરવામાં આવે છે. કોઈએ પણ ધર્મ સાથે ચેડાં ન કરવાં જોઈએ. ‘રામાયણ’ સિવાય ઘણી સ્ટોરી છે જેના વિશે વાત કરી શકાય છે. ઘણા ફ્રીડમ ફાઇટર્સ છે એના વિશે વાત કરો. ‘રામાયણ’ જ કેમ?’

ranbir kapoor ramayan entertainment news bollywood bollywood news upcoming movie