31 March, 2024 09:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બોની કપૂર
બોની કપૂરનું કહેવું છે કે તેનો ભાઈ અનિલ કપૂર તેનાથી નારાજ છે અને હજી પણ સરખી રીતે વાત નથી કરતો. ૨૦૦૫માં આવેલી આ ફિલ્મમાં સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદીન ખાન હતા. આ ફિલ્મને ૨૦ વર્ષ થઈ રહ્યાં હોવાથી એની સીક્વલ ૨૦૨૫માં રિલીઝ થશે અને એનું શૂટિંગ આ વર્ષના અંતે શરૂ થશે. આ સીક્વલમાં અનિલ કપૂર અને સલમાન ખાન નથી. તેમની જગ્યાએ વરુણ ધવન, દિલજિત દોસંજ અને અર્જુન કપૂર કામ કરશે. આ વિશે વાત કરતાં બોની કપૂરે કહ્યું કે ‘મારા ભાઈ અનિલને હું ‘નો એન્ટ્રી’ની સીક્વલ અને એના ઍક્ટર્સ વિશે કહું એ પહેલાં જ તેને ખબર પડી ગઈ હતી. આ સમાચાર લીક થઈ જતાં તે ગુસ્સે ભરાયો હતો. ખૂબ દુઃખની વાત છે. મને ખબર છે કે તેને ‘નો એન્ટ્રી’ની સીક્વલમાં કામ કરવું હતું, પરંતુ તેને માટે કોઈ જગ્યા જ નથી. મારે તેને સમજાવવું હતું કે હું કેમ અને કયા કારણસર આ ફિલ્મ બનાવી રહ્યો છું. વરુણ અને અર્જુન ખૂબ સારા ફ્રેન્ડ છે. તેમની કેમિસ્ટ્રી ફિલ્મમાં ખૂબ સારી રીતે બહાર આવી શકશે. દિલજિત આજે ખૂબ મોટો સ્ટાર છે. તેનું ફૅન-ફૉલોઇંગ ખૂબ જોરદાર છે. હું આજના સમયને અનુરૂપ ફિલ્મ બનાવવા માગતો હતો એટલે મેં એ મુજબના ઍક્ટર પસંદ કર્યા. આ પ્રોસેસને કારણે મારો ભાઈ મારી સાથે સરખી રીતે વાત નથી કરતો. આશા રાખું કે બધું ફરી જલદી સરખું થઈ જાય.’