રવિન્દ્રનાથ ટાગોરના પાત્રમાં દેખાશે અનુપમ ખેર, ફર્સ્ટ લૂક આવ્યો સામે

08 July, 2023 07:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અનુપમ ખેરે (Anupam Kher To Portray Tagore) સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે તેઓ તેમની આગામી ફિલ્મમાં મહાન કવિ અને ફિલોસોફર રવિન્દ્રનાથ ટાગોરની ભૂમિકા ભજવશે

તસવીર સૌજન્ય : અનુપમ ખેરનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

પીઢ અભિનેતા અનુપમ ખેરને ફિલ્મ બિઝનેસમાં બે દાયકાથી વધુ સમયનો અનુભવ છે. અભિનેતાએ તેની ઉંમરના દરેક તબક્કે પોઝિટિવથી નેગેટિવ તમામ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે અને દરેક પાત્ર માટે પ્રશંસા મેળવી છે. `ધ કાશ્મીર ફાઇલ્સ` આનું એક ઉત્તમ ઉદાહરણ છે, જે સાબિત કરે છે કે અનુપમ ખેર (Anupam Kher To Portray Tagore) પ્રયોગ કરવામાં શરમાતા નથી. હવે તે પોતાની 538મી ફિલ્મ માટે પણ આવું જ કંઈક કરશે.

અનુપમ ખેરે ફર્સ્ટ લુક શેર કર્યો

અનુપમ ખેરે (Anupam Kher To Portray Tagore) સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે તેઓ તેમની આગામી ફિલ્મમાં મહાન કવિ અને ફિલોસોફર રવીન્દ્રનાથ ટાગોરની ભૂમિકા ભજવશે. અનુપમે ફિલ્મનો પોતાનો ફર્સ્ટ લુક પણ શેર કર્યો છે. આ એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો છે, જેમાં અનુપમ રવીન્દ્રનાથ ટાગોરના પાત્રમાં દેખાય રહ્યા છે. અનુપમ લાંબી દાઢી અને સફેદ વાળમાં જોવા મળ્યા હતા. ફોટોમાં તે જમીન તરફ જોઈ રહ્યા છે અને કંઈક વિચારી રહ્યા છે.

`ગુરુદેવને પડદા પર જીવંત કરવાનું સૌભાગ્ય`

આ પોસ્ટ શેર કરતાં અનુપમ ખેરે લખ્યું છે કે, “આ મારું સૌભાગ્ય છે કે મને સ્ક્રીન પર ગુરુદેવને મૂર્ત સ્વરૂપ આપવાનું સૌભાગ્ય મળ્યું છે! આ ફિલ્મની વધુ વિગતો ટૂંક સમયમાં તમારી સાથે શેર કરીશું!”

અનુપમ ખેરના આગામી પ્રોજેક્ટ્સ

બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતા અનુપમ ખેર અનુરાગ બાસુના નિર્દેશનમાં બનેલી `મેટ્રો ઇન ડિનો`માં આગામી સમયમાં જોવા મળશે. આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર, સારા અલી ખાન, કોંકણા સેન શર્મા, પંકજ ત્રિપાઠી, ફાતિમા સના શેખ, અલી ફઝલ અને નીના ગુપ્તા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આ ઉપરાંત તે `ધ વેક્સિન વૉર`માં પણ જોવા મળશે. `ધ કાશ્મીર ફાઇલ્સ` પછી વિવેક અગ્નિહોત્રી સાથે અનુપમની આ બીજી ફિલ્મ હશે. આ સિવાય તેમની પાસે કંગના રનૌત નિર્દેશિત અને નિર્મિત `ઇમર્જન્સી` પણ છે. આ ફિલ્મમાં તે જયપ્રકાશ નારાયણના રોલમાં જોવા મળશે. જયપ્રકાશ નારાયણ ઈન્દિરા ગાંધી વિરુદ્ધ વિપક્ષનું નેતૃત્વ કરવા માટે જાણીતા છે.

બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર (Anupam Kher)એ કરેલ એક સોશ્યલ મીડિયા પોસ્ટે ફેન્સને ચિંતામાં મુકી દીધા છે. દિગ્ગજ અભિનેતા અપકમિંગ ફિલ્મ ‘વિજય ૬૯’ (Vijay 69)ના શૂટિંગ દરમિયાન ઘાયલ થયા છે. તેમને હાથમાં અને ખભા પર ઈજા પણ થઈ છે. આ બાબતની જાણ અભિનેતાએ પોતે સોશ્યલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને આપી છે. અનુપમ કહે છે કે, તેમના મોઢામાંથી વારંવાર ચીસો નીકળે છે. એટલું જ નહીં અભિનેતાના માતાને લાગે છે કે, તેમને કોઈની નજર લાગી ગઈ છે.

શૂટિંગ દરમિયાન ઇજા

અનુપમ ખેર ફિલ્મના શૂટિંગ દરમિયાન અકસ્માતનો ભોગ બન્યા છે. તેમના હાથમાં ઈજા થઈ છે અને સ્લિંગ પણ પહેરી છે. અનુપમ ખેરે પોતાની લેટેસ્ટ પોસ્ટમાં અકસ્માત બાદની તસવીર શૅર કરી છે. આ પોસ્ટમાં તેમણે પોતાની સ્થિતિનું વર્ણન કર્યું છે અને જણાવ્યું છે કે તેઓ કેટલી પીડામાં છે.

anupam kher rabindranath tagore upcoming movie bollywood bollywood news entertainment news