22 October, 2024 10:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનિલ કપૂર
જાણીતા બૉલીવુડ-ઍક્ટર અનિલ કપૂરે ૧૦ કરોડ રૂપિયાની ઑફર કરતી પાન મસાલાની જાહેરાતની ડીલ ઠુકરાવી દીધી છે. આવી પ્રોડક્ટની જાહેરાતનો પ્રચાર નહીં કરીને અનિલ કપૂર તેમના ચાહકો પ્રત્યે વફાદાર રહેવા માગે છે. તેઓ સંયમિત જીવન જીવીને ૬૦ વર્ષના હોવા છતાં એટલી ઉંમરના દેખાતા નથી અને એકદમ ફિટ છે. આવી જાહેરાત ન કરીને તેઓ ન-મસાલા નહીં ખાવા માટે જનજાગૃતિ પણ ફેલાવી રહ્યા છે.