Actor Boney Kapoor: ‘મારા કાંડે શ્રીદેવીની રાખડી બંધાવવી હતી’ બોની કપુરે કર્યો મોટો ખુલાસો

02 April, 2024 01:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Actor Boney Kapoor: બોની કપૂરે ઇંટરવ્યૂમાં કહ્યું કે “મારી માતા મારી શ્રીદેવી પ્રત્યેની મારી લાગણીઓ જોઈ શકી નહોતી."

બૉની કપૂર અને શ્રીદેવી

બોની કપૂર (Actor Boney Kapoor) અને શ્રીદેવી સાથેના સંબંધો વિશે ફરી એકવાર મોટો ખુલાસો થયો છે. તાજેતરમાં જ જ્યારે તે એક ઇન્ટરવ્યુ આપી રહ્યો હતો ત્યારે ખુદ સ્વીકાર્યું હતું કે તેઓ તેમની પ્રથમ પત્ની મોના શૌરી સાથે શ્રીદેવી પ્રત્યેની તેમની લાગણીઓ વિશે પ્રમાણિક રહ્યા છે. વળી આ ઇંટરવ્યૂ દરમિયાન તેણે એ પણ જણાવ્યું હતું કે તેની માતાએ જ શ્રીદેવી પ્રત્યેના તેના પ્રેમને પારખી લીધો હતો.

આમ તો બોની કપૂર (Actor Boney Kapoor) પહેલાથી જ પરિણીત હતા અને તેમની પહેલી પત્નીનું નામ મોના શૌરી કપૂર હતું. બોની અને મોનાને બે બાળકો અર્જુન કપૂર અને અંશુલા છે. પરંતુ ત્યારબાદ શ્રીદેવીએ બોનીના જીવનમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ બોની કપૂરે મોના શૌરી સાથે છૂટાછેડા લીધા અને 1996માં શ્રીદેવી સાથે લગ્ન કર્યા હતા. માટે જ બોની કપૂરે ઇંટરવ્યૂમાં કહ્યું કે “મારી માતા મારી શ્રીદેવી પ્રત્યેની મારી લાગણીઓ જોઈ શકી નહીં.”

જ્યારે બોની કપૂરની માતાએ શ્રીદેવીને રાખડી બાંધવા કહ્યું હતું 

બોની કપૂરે એક ઇંટરવ્યૂમાં આ વાતની સ્પષ્ટતા કરી હતી કે તેને શ્રીદેવી પ્રત્યે જે કૈં લાગણી હતી તે તેની માતા જાણી ગઈ હતી. માટે જ રક્ષાબંધનના દિવસે બોની કપૂરની માતાએ શ્રીદેવીને પૂજાની થાળી આપતા કહ્યું હતું કે બોનીને રાખડી બાંધી દે. જોકે, જ્યારે શ્રીદેવી રૂમમાં આવી હતી ત્યારે બોની કપૂરે કહ્યું હતું કે `ચિંતા કરશો નહીં, પરેશાન થશો નહીં, પ્લેટ અહીં રાખો.` કારણકે શ્રીદેવીને રાખડીનો અર્થ જ સમજાયો નહોતો.

બોની કપૂરે (Actor Boney Kapoor) પોતાના ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેની પ્રથમ પત્ની મોનાને શ્રીદેવી (Sridevi) પ્રત્યેની તેની લાગણીઓ વિશે ખબર હતી. વળી જ્યારે તેમની માતાને આ બાબતે પાછળથી માલૂમ થયું હતું ત્યારે તેની માતાએ શ્રીદેવી પાસે મારા કાંડા પર રાખડી બાંધવા કહ્યું હતું.

શ્રીદેવીને પ્રપોઝ કરવા ૫-૬ મહિના સુધી પ્રયત્નો કરતાં રહ્યા બોની કપૂર

ખુદ બોની કપૂરે આ વાતની સ્પષ્ટતા કરતાં જનવ્યું હતું કે, “શ્રીદેવી માટે મને જે પ્રેમ હતો તે દર્શાવવા માટે  5-6 વર્ષ સુધી હું તેને પ્રપોઝ કરવાનો પ્રયાસ કરતો રહ્યો.”

આગામી આ ફિલ્મમાં જોવા મળશે બોની કપૂર

અજય દેવગન બોની કપૂરની આગામી ફિલ્મ `મેદાન`માં જોવા મળવાનો છે. આ ફીમ માટે હવે બહુ રાહ જોવાની નથી. થોડા જ દિવસોમાં આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં અજય દેવગન ઉપરાંત પ્રિયામણી, ગજરાજ રાવ અને રુદ્રનીલ ઘોષ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળવાના છે. સ્પોર્ટ્સ-ડ્રામા `મેદાન` અમિત રવિન્દ્રનાથ શર્મા દ્વારા દિગ્દર્શિત છે અને બોની કપૂર (Actor Boney Kapoor) અને ઝી સ્ટુડિયો દ્વારા સહ-નિર્માતા છે.

boney kapoor sridevi bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news