midday

આર્બિટ્રેજ મ્યુચ્યુઅલ ફન્ડ્સની પસંદગી કયાં કારણોસર કરવા જેવી હોય છે એ જાણી લો

23 March, 2025 04:31 PM IST  |  Mumbai | Rajendra Bhatia

શૅરબજારમાં કૅશ માર્કેટ અને ફ્યુચર્સ માર્કેટ એમ બે સેગમેન્ટ હોય છે. એ બન્નેમાં ભાવ પણ અલગ-અલગ હોય છે. આર્બિટ્રેજ ફન્ડ્સ આ તફાવતમાંથી કમાણી કરતાં હોય છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

શૅરબજારમાં કૅશ માર્કેટ અને ફ્યુચર્સ માર્કેટ એમ બે સેગમેન્ટ હોય છે. એ બન્નેમાં ભાવ પણ અલગ-અલગ હોય છે. આર્બિટ્રેજ ફન્ડ્સ આ તફાવતમાંથી કમાણી કરતાં હોય છે. ફન્ડ મૅનેજર્સ કૅશ માર્કેટમાં સ્ટૉક્સની ખરીદી કરીને એ જ વખતે ફ્યુચર્સ માર્કેટમાં વેચાણ કરીને જોખમમુક્ત નફો રળતા હોય છે. આર્બિટ્રેજ ફન્ડ્સ ઇક્વિટી ફન્ડ્સની શ્રેણીમાં આવે છે, પરંતુ એ શ્રેણીના જોખમોથી ઓછું જોખમ આ ફન્ડ્સમાં હોય છે, કેમ કે એમાં એક જ સમયે ખરીદી અને વેચાણ બન્ને કરવામાં આવે છે. 

આર્બિટ્રેજ ફન્ડ્સની પસંદગી કયાં કારણોસર કરવા જેવી હોય છે?

1) કરવેરાની દૃષ્ટિએ વધુ લાભ

જો એક વર્ષની અંદર રિડેમ્પ્શન કરાવવામાં આવે તો ૨૦ ટકા લેખે શૉર્ટ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ.

જો એક વર્ષ કરતાં વધુ સમય બાદ રિડેમ્પ્શન કરાવવામાં આવે તો લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ. ૧.૨૫ લાખનો કૅપિટલ ગેઇન કરમુક્ત હોય છે. એનાથી વધુ કૅપિટલ ગેઇન્સ ઉપર ૧૨.૫ ટકા લેખે કૅપિટલ ગેઇન ટૅક્સ લાગુ પડે છે.

2) ઓછું જોખમ અને સારું વળતર

3) લિક્વિડિટી અને ફ્લેક્સિબિલિટીઃ

4) વ્યાજદરમાં ફેરફાર થઈ રહ્યો હોય ત્યારે

share market stock market goods and services tax finance news business news columnists gujarati mid-day mumbai