બૅન્કમાં ડિપોઝિટ કરવા અંગે આવ્યા મોટા અપડેટ્સ, કેન્દ્ર સરકાર લઈ શકે છે આ નિર્ણય

10 August, 2024 08:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

New Bank Deposits Scheme: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બૅન્કોને તેમના મુખ્ય કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ડિપોઝિટને આકર્ષવા માટે નવી અને આકર્ષક યોજના બનાવવાનો આદેશ આપ્યો છે.

પ્રતીકાત્મક તસવીર (મિડ-ડે)

સરકાર બૅન્કોમાં ડિપોઝિટ વધારવા માટે ઍક્શન મોડમાં છે. તાજેતરમાં જ રિઝર્વ બેન્કના (New Bank Deposits Scheme) ગવર્નર શક્તિકાંત દાસે બૅન્કોને ડિપોઝીટ વધારવાની સલાહ આપી હતી. હવે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બૅન્કોને તેમના મુખ્ય કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ડિપોઝિટને આકર્ષવા માટે નવી અને આકર્ષક યોજના બનાવવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે સ્થાનિક બચત વધુને વધુ અન્ય રોકાણ ઉત્પાદનોમાં જઈ રહી છે, તેથી આ તરફ ધ્યાન આપવાની જરૂર છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની (New Bank Deposits Scheme) બેઠકને સંબોધિત કર્યા બાદ સીતારમણે કહ્યું આરબીઆઈ અને સરકાર બંને બૅન્કોને તેમની મુખ્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કહી રહ્યા છે. તેઓએ આક્રમક રીતે ડિપોઝિટ મેળવવા અને પછી ધિરાણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ બૅન્કોની મુખ્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ છે. તેમણે કહ્યું કે લોન અને ડિપોઝિટ ગ્રોથ વચ્ચે તફાવત છે, તેથી બૅન્કોએ ડિપોઝિટ મેળવવા પર ધ્યાન આપવું જોઈએ. નિર્મલા સીતારમણે કહ્યું આરબીઆઈએ તેમને વ્યાજ દરોના સંચાલનમાં થોડી સ્વતંત્રતા આપી છે. એ સ્વતંત્રતાનો ઉપયોગ કરીને ડિપોઝીટને આકર્ષક બનાવવી પડશે. નવી પ્રોડક્ટ્સ રજૂ કરવી જોઈએ અને ડિપોઝિટ ઊભી કરવી જોઈએ. તેમણે બેન્ક અધિકારીઓને મોટી અથવા બલ્ક ડિપોઝીટને બદલે નાના બચતકર્તાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી.

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે (New Bank Deposits Scheme) પણ કહ્યું કે અમે ડિપોઝિટ અને ક્રેડિટ ગ્રોથ વચ્ચે લગભગ ત્રણથી ચાર ટકાનું અંતર જોઈ રહ્યા છીએ. આમાં ડિપોઝીટ ઓછી છે. તેમણે કહ્યું કે લોન હવે ડિજિટલી આપવામાં આવી રહી છે, જ્યારે ડિપોઝિટની બાબતમાં આવું નથી અને આ એક મહત્ત્વપૂર્ણ ફેરફાર છે. જેટથી બેન્કોએ ડિપોઝિટ મેળવવા માટે અનન્ય ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. શક્તિકાંત દાસે કહ્યું કે લોન અને ડિપોઝિટનો રેશિયો વધ્યો છે. CASA (કરન્ટ એકાઉન્ટ અને સેવિંગ્સ એકાઉન્ટ) ડિપોઝિટ એક વર્ષ અગાઉ 43 ટકાથી ઘટીને કુલ ડિપોઝિટના 39 ટકા થઈ ગઈ છે. બીજી તરફ દેવું વધ્યું છે.

તેમણે એમ પણ કહ્યું કે હાલમાં આવી કોઈ સમસ્યા નથી. પરંતુ તેના પર ધ્યાન આપવાની જરૂર છે અને જો આપવામાં નહીં આવે તો રોકડ વ્યવસ્થાપનની સમસ્યા આવી શકે છે. દાસે જણાવ્યું હતું કે નવી પદ્ધતિઓ અને ઉત્પાદનો દ્વારા ડિપોઝિટ એકત્રિત (New Bank Deposits Scheme) કરવા માટે બૅન્કોએ તેમના વિશાળ શાખા નેટવર્કનો લાભ લેવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે વ્યાજ દરો નિયંત્રણમુક્ત છે અને બૅન્કો નાણાં એકત્ર કરવા માટે થાપણ દરમાં વધારો કરે છે.

business news finance news finance ministry nirmala sitharaman reserve bank of india