મહારાષ્ટ્રના મરાઠવાડામાં તુવેરના પાકને નુકસાન

17 December, 2022 03:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જેને લીધે ખેડૂતોની ચિંતા વધી છે

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના મરાઠવાડાના નાંદેડ જિલ્લામાં અમૂક ગામોમાં તુવેરના પાકને નુકસાન થઈ રહ્યું છે, જેને લીધે ખેડૂતોની ચિંતા વધી છે. સ્થાનિક વેપારી અને ખેડૂતોનું કહેવુ છે કે જે પાકની લણણી કરવાની બાકી હતી એ હવે પડી રહી છે, જેના લીધે પાક નકામો બની રહ્યો છે. પરિણામે એકંદર ઉત્પાદનમાં ૧૫-૨૦ ટકાનો ઘટાડો થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘણા લોકોનું કહેવું છે કે થોડા દિવસ પહેલાં હવામાન ખરાબ બન્યું હતું જેને લીધે પાકને આ નુકસાન થયું છે.

business news